પ્રેસ નોટની સાથે મહેન્દ્ર ફળદુએ ઓડિયો ક્લિપ પણ બનાવી
ઓઝોન ગ્રુપના ડિરેક્ટરના વર્તાવનો કર્યો ઉલ્લેખ
IPS-IAS અધિકારીઓ અમારા છે તેમ કહીને ધમકાવતા હોવાનું કહ્યું
રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલે ઓડિયો ક્લિપ આવી સામે છે. પ્રેસ નોટની સાથે મહેન્દ્ર ફળદુએ ઓડિયો ક્લિપ પણ બનાવી હતી. ઓઝોન ગ્રુપના ડિરેક્ટરના વર્તાવનો ઉલ્લેખ કર્યો છે. ઓડિયો ક્લીપમાં મધ્યમ વર્ગના લોકો પાસેથી ઓઝોન ગ્રુપ અને અન્ય 7 ઈસમોએ મહેન્દ્ર ફળદુ થ્રુ બુકિંગ કરાવ્યું હતું. સ્વાર્થ, પૈસા અને કૌભાંડમાં ઈરાદા સાથે કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. IPS-IAS અધિકારીઓ અમારા છે તેમ કહીને ધમકાવતા હોવાનું કહી પરિવારને હેરાન કરતા લોકોને માફ ન કરવાનો ઉલ્લેખ પણ ઓડિયો ક્લીપમાં મહેન્દ્ર ફળદુએ કર્યો છે. ત્રાસથી કંટાળી ફરજિયાત મરવું પડે તેમ છે કહી રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રૂપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આપઘાત કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો.
મહેન્દ્ર ફળદુએ સુસાઈડ પહેલા બનાવેલી ઓડિયો ક્લિપમાં શું કહ્યું?
આત્મહટ્યા પહેલા બનાવેલી ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે મનસુખભાઈ એમ. સુરેજા, અતુલ મેહતા, અમદાવાદ, અમિત ચૌહાણ , રાજકોટ, જયેશ કાંતિલાલ પટેલ , ડાયરેક્ટર, ઓઝોન ગૃપ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતિલાલ પટેલ, 2007માં 48 હજારથી વિશેષ વારની જગ્યામાં રોકાણ કર્યુ છે જેનાથી આપ સર્વે માહિતગાર છો તમામ રકમ ચૂકવેલ છે, તમામ નિયમની મેં અમલવારી કરેલ છેતેમ છતા ટસ્કની પ્રોજેક્ટમાં તમે અમોને દસ્તાવેજ કરી આપેલ નથી કે અમારી પાસેથી પ્લોટ પરત લેતા નથી એનકેન પ્રકારે અમને ખુબ હેરાન કરવામાં આવ્યા આ બુકિંગ મારા ઉપરાંત મારા નાના ભાઈ શૈલષભાઈ, બીજો નાનો ભાઈ રમેશભાઈ, મારા કાકા વિનુભાઈ અને મિત્રોના મારફતે તમારે ત્યાં ઓછામાં ઓછી એક લાખવાર જગ્યાનું બુકિંગ કરાવ્યું છે 2007માં આ તમામ રકમ ચુકવી આપેલ છે, જે તમારા બેન્ક ખાતામાં જમા છે ઈન્કમ ટેક્સમાં રિર્ટનમાં પણ આ રકમ બોલે છે 2007થી આ જગ્યાના દસ્તાવેજો કરાવવા માટે વિનંતીઓ કરી કોઈ જવાબ કે કોઈ પ્રકારનો સાથ સહકાર મળ્યો નથી ત્યાં જમીનનો ભાવ વધી ગયો છે અમને કાઢી મુકવા કે સસ્તા ભાવે પ્લોટ પચાવી પાડવાના સતત પ્રયત્નો કરાયા તેમની ઓફિસે જતા વારંવાર મને ગોળગોળ ફેરવ્યો.
'પોલીસ ફરિયાદ કરી હેરાન કર્યો'
વધુમાં કહ્યું કે પછી મારી ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી અમદાવાદમાં મારા નાના ભાઈ પર પોલીસ ફરિયાદ કરી સાઈડ પર જઈએ તો સિક્યુરિટીવાળા રોકે છે અમારા મારફતે જેમણે જગ્યા બુક કરાવી એ લોકો મને ખુબ હેરાન કરે છે. ઘરે આવીને હેરાન કરે છે અને ખુબ ત્રાસ આપે છે સમાજમાં પણ મોં બતાવવુ મુશ્કેલ થઈ ગયુ હતુ કૌભાંડના ઈરાદાથી દસ્તાવેજ કરાવ્યા નથી એમ.એમ.પટેલ જેવા ખરાબ વ્યક્તિ જોયા નથી દસ્તાવેજ ન થતા મેં પોતાના રૂપિયા વ્યાજ લેખે ચુકવ્યા છે આ પ્રોજેક્ટમાં મારા કરોડો રૂપિયા ફસાયા હોવા છતા કોઈ જવાબ ન મળ્યો
'આત્મ હત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી'
48 હજાર વાર જગ્યાની હાલની કિંમત 30-33 કરોડ રૂપિયા ડાયરેક્ટરના ત્રાસના કારણે મારી પાસે આત્મ હત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી એમ.એમ.પટેલ અતુલ મહેતા અમિત ચૌહાણ
ઓઝોન ગૃપના ડાયરેક્ટર મારા મોત માટે જવાબદાર એમ.એમ.પટેલ મને ધમકી આપતા અધિકારીઓની વગ વાપરીને મને ધમકીઓ આપી ત્રાસ, ધમકી અને દસ્તાવેજ ન થતા હું આત્મહત્યા કરું છું મારા મોતના જવાબદારોને માફ ન કરતાઆ દોષીઓ સામે એક્શન લેવાય તે મારી અંતિમ ઈચ્છા છે.
પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઇએઃ જેરામ પટેલ
મહેન્દ્ર ફળદૂની અંતિમ યાત્રામાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોભી ચાલ્યો જતાં પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે. અંતિમ યાત્રા નીકળતાની સાથે જ પરિવાર અને હાજર લોકો પોક મૂકી રડી પડયા હતા. આ વિકટ સમયે પાટીદાર અને રાજકીય અગ્રણીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને પાટીદાર અગ્રણી જેરામ પટેલે કહ્યું હતું કે પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઇએ. તો ઉમિયાધામ સીદસરના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ રાજકોટ જેવા શહેરમાં આવી ઘટના ખુબ જ ગંભીર કહેવાય તેવુ નિવેદન આપ્યું હતું.
ઓરિજીનલ પ્રેસનોટ શોધવા યુનિવર્સિટી પોલીસ ઘરે પહોંચી
રાજકોટના ઉદ્યોગપતિ આપઘાત કેસની તપાસ કરવા માટે યુનિવર્સિટી પોલીસ મૃતક મહેન્દ્ર ફળદુના ઘરે પહોંચી છે. મહત્વનું છે કે આત્મહત્યા કરતા પહેલા મહેન્દ્ર ફળદુ પ્રેસનોટ મીડિયાને આપી હતી. જેની તપાસ કરવા તેમજ ઓરિજીનલ પ્રેસનોટ શોધવા પોલીસે કવાયત તેજ કરી છે. જ્યાં હવે પરિવારજનોના નિવેદન નોંધી પોલીસ ફરિયાદ નોંધાશે.
કોણ હતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલ?
મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું હતું.IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી અપાતી હતી.મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન હતા.એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે મહેન્દ્ર પટેલ જોડાયેલા હતા.
5 લાખ વારનો છે બાવળાનો ધ તસ્કની બીચ સિટીનો પ્રોજેક્ટ
રાજકોટ શહેરનાં આગેવાન, સીનીયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રૂપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જીલ્લાનાં બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ધ તસ્કની બીચ સિટી” ના નામનો પ્રોજેકટ બનાવી રહયા હતા.
બાવળાના પ્રોજેક્ટમાં આશરે 3 કરોડથી પણ વધારેનું ચૂકવણું કર્યું પણ દસ્તાવેજ ન કરી આપ્યા
તે પ્રોજેકટમાં મહેન્દ્ર કેશવલાલ ફડદુ, બે પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે ચો.વા.48000 જમીન વર્ષ–2007 માં બુક કરાવેલ, તે જ રીતે તેના નાના ભાઈ રમેશ કેશવલાલ ફડદુ, શૈલેષ કેશવલાલ ફડદુ, તેનાં સગા કાકા વિનયકાંત ટી. ફડદુ સહિતનાં અન્ય લોકોને આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્રભાઈ ફડદુ મારફતે બુક કરાવેલુ હતુ અને તેનું પેમેન્ટ પણ વર્ષ–2007માં જ કરી નાખ્યું હતું, આ રકમ આશરે 3 કરોડથી પણ વધારે થાય છે તે ૨કમ વર્ષ-2007માં જ કંપનીમાં જમા કરાવી દીધું હતું. જેમાં રોકડ રકમનો વહીવટ અલગ છે તેવો પણ પ્રેસ રિલીઝ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પણ રકમનું ચુકવણું કરી દીધા બાદ પણ દસ્તાવેજ ન કરી દાદાગીરી અને સાથે માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાનો ઓઝોન ગ્રુપ સહિત 7 શખ્સો સામે આરોપ મૂકવામાં આવ્યો છે.