ગાયકવાડી સ્ટેટ વડોદરામા સાડાત્રણ લાખ પુસ્તકનો ખજાનો ધરાવતી સેન્ટ્રલ લાયબ્રેરી અંગે કારણ કે,આ લાયબ્રેરી આજે પણ વડોદરાની શાન છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની દુરંદેશીના કારણે આજે અમુલ્ય ખજાના સમાન લાયબ્રેરીના પુસ્તકો સંગ્રહાયેલા છે.. ત્યારે કેવું છે ભારતનું પ્રથમ સાર્વજનીક પુસ્તકાલય આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં.
આજે અહીં 3 લાખથી વધુ પુસ્તકનો ખજાનો
તમામ ભાષાના ગ્રંથો અહીં તમને મળશે
જ્ઞાન સાથે કળાનો અનોખો સંગમ
વડોદરાના માડવી વિસ્તારમા રાજ્ય સરકાર સંચાલિત સેન્ટ્રલ લાયબ્રેરી આવેલી છે ઐતિહાસિક લાયબ્રેરી 110 વર્ષ પુરા કર્યા છે આટલુ જુનુ બિલ્ડીગ આજે પણ અડીખમ ઉભુ છે સાથે જ વડોદરા રાજ્યના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિઝન અને આયોજનના નમુના રૂપ છે 1910 મા મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈગ્લેન્ડથી લાયબ્રેરી વિલિયમ બોર્ડનને વડોદરા લાવેલા અને લાયબ્રેરીનુ વિશાળ બિલ્ડીગનુ નિર્માણ કર્યુ હતુ. આ બિલ્ડીગ મા લાયબ્રેરી બિલ્ડીગના પાયા સાથે જોડાયેલી નથી જેના કારણે પુસ્તકોને ઉધઈના લાગે અને યુએસએ થી લાવેલાલોખં ના મટીરિયલ અને બેલ્જીયમથી લાવેલા ગ્લાસમાથી બનાવવામા આવી છે.
વડોદરાની આ લાયબ્રેરીમા પ્રાચીન ગ્રંથોથી માડીને ગાયકવાડ સ્ટેટના એડમિસ્ટ્રેટીવ રીપોર્ટ ,સર્વિસ લીસ્ટ અને ગાયકવાડ સ્ટેટ મેગેઝીન તેનુ મુખ્ય આકર્ષણ છે સાથે જ મહારાજા ને ઈગ્લેન્ડથી ભેટમા મળેલી મીનીએચર પુસ્તકોની લાયબ્રેરીમા સેક્સપીયરના બધા નાટકો નો સામવેશ થાય છે.
વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરી મા 3.5 લાખ પુસ્તકો નો સંગ્રહ કરવામા આવેલો છે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ અને સિન્ધી ભાષાના પુસ્તકો નો સમાવેશ થાય છે આજે આ લાયબ્રેરી ના 38 હજાર સભ્યો છે અને તેમની વાચન ભુખ સંતોષવા માટે સાત વિભાગ કામ કરી રહ્યા છે જેમા
વડોદરા ના રાજવીએ ફરજીયાત શિક્ષણ નો કાયદો લાવેલા સાથે સાથે શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ પણ ઉભી કરેલી તેમા મહત્વોનો પ્રોજેક્ટ એટલે આ ગ્રંથાલય. આજે આ ગ્રંથાલય મા વિવિધ સ્ટટેના ગેજેટ, કાયદા, એડમિસ્ટ્રેટીવ રીપોર્ટ, સર્વિસ બુક ઉપરાંત વિશ્વ ના અનેક પુસ્તકો,સાહિત્ય,સંશોધન, વિજ્ઞાન, ટેકનોલોજી, કોમ્પીટીટીવ એક્ઝામ માટે ના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો વાચકો માટે એક ગજાનો છે આજે 38 હજાર જેટલા વાચકો ને આ લાયબ્રેરીએ વાચંન નુ ધેલુ લગાડ્યુ છે.
શિક્ષણ પ્રેમી રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની દેન ને આજે રાજ્ય સરકાર નુ રમતગમત અને સાસ્ક્રૃતિક વિભાગ સાચવી રહ્યુ છે અને ખુબજ દુર્લભ કહેવાય તેવા પુસ્તકો વડોદરા સચવાયેલા છે જોકે બહુ જુના પુસ્તકો ને સાચવવા માટે સ્કેનિગ ની કામગીરી સરુ કરીને તેને ડીજીટલ બનાવવાની કામગીરી સરુ કરવામા આવી છે અને 30 હજાર પુસ્તકો ના 1 લાખ 98 હજાર પેજ સ્કેન કરવામા આવ્યા છે આજે પણ આ ખજાનો એક મુલાકાત લેવા જેવો ખરો.