ચીનની અંદર અત્યારે જે જનવિરોધ અને વિદ્રોહ ચાલી રહ્યો છે તેને જોતાં લાગે છે કે ચીનની ઊલટી ગણતરી શરૂ થઇ ચૂકી છે.
હોંગકોંગવાસીઓએ ચીનની પ્રભુત્વવાદી નીતિ સામે બંડ પોકાર્યું
૨૦૧૯નું વર્ષ હોંગકોંગના લોકો માટે બન્યું યાદગાર
૧૯૯૭થી પહેલાથી થઇ હતી શરૂઆત
ભલે મામલો ચીનના મુસ્લિમ બહુમતીવાળા શિન જિયાંગ સ્વાયત્ત ક્ષેત્રનો હોય, મંગોલિયામાં મંગોલિયાઇ લોકો પર જબરજસ્તી ચીની ભાષા થોપવાનો હોય કે તિબેટમાં બૌદ્ધ લોકો પાસેથી તેમની આઝાદી છીનવવાનો કે પછી હોંગકોંગ અને મકાઉમાં પૂર્ણ રીતે પોતાની વ્યવસ્થામાં સામેલ કરવાની વાત હોય. દરેક જગ્યાએ ચીનની ગણતરી ઊંધી પડી રહી છે અને આખી દુનિયામાં તેની મજાક ઊડી રહી છે.
૨૦૧૯નું વર્ષ હોંગકોંગના લોકો માટે બન્યું યાદગાર
હોંગકોંગ અત્યારે અંદરથી સળગી રહ્યું છે. અહીંના લોકો માટે ૨૦૧૯નું વર્ષ યાદગાર હતું. તમામ હોંગકોંગવાસીઓએ ચીનની પ્રભુત્વવાદી નીતિ વિરુદ્ધ ખૂલીને પ્રદર્શન કર્યું અને બતાવી દીધું કે તેઓ ચીનની અત્યાચારી નીતિઓને સહન કરવાના નથી. એક બાજુ જ્યાં વૃદ્ધ માતા-પિતા ચીનની સત્તા જાળવી રાખવા ઇચ્છે છે તો તેમનાં બાળકોનો વિશ્વાસ સરકાર પરથી હટતો જાય છે. તેઓ પશ્ચિમના ખુલ્લા વિચારો અને આબોહવામાં શ્વાસ લેવા ઇચ્છે છે. તેમાંથી કેટલાક તો એટલા નારાજ છે કે વર્તમાન વ્યવસ્થાને આગ લગાવી દેવા ઇચ્છે છે, જેથી તેઓ જૂના હોંગકોંગને પરત મેળવી શકે અને ચીનની હોંગકોંગ પર કબજો કરતી નીતિથી બચી શકે.
૧૯૯૭થી પહેલાથી થઇ હતી શરૂઆત
હોંગકોંગને આજની હાલતમાં ઢાળવાની શરૂઆત વર્ષ ૧૯૯૭થી પહેલા જ થઇ ચૂકી હતી. હોંગકોંગના લોકો હંમેશાં વૈચારિક રીતે વહેંચાયેલા રહ્યા છે. જેમાં તેમની ઓળખ અને ઇતિહાસ છુપાયેલો છે. જ્યાં વૃદ્ધ લોકો ચીનની રૂઢિવાદી અને સખત સામ્યવાદી વ્યવસ્થાને પોતાની માને છે, તો બીજી તરફ યુવા વર્ગ પશ્ચિમના ખુલ્લા અને તાર્કિક વાતાવરણમાં ઢળી ચુક્યા છે.
બ્રિટને હોંગકોંગમાં છ સ્તરીય નાગરિકતા આપવાની જોગવાઇ કરી છે. આ કાયદો વર્ષ ૧૯૮૧માં બન્યો હતો, જે હેઠળ શિક્ષા અને શિક્ષણકાર્ય સાથે જોડાયેલા લોકો, વ્યવસાય, મેનેજમેન્ટ યોગ્યતા, ઉદ્યમિતાની સાથે સાથે બ્રિટિશ તંત્રથી સ્વામીભક્તિ અને જનસેવાઓને પ્રાથમિકતા આપવાની વાત સામેલ હતી. અંગ્રેજી ભાષાની અનિવાર્યતા ભવિષ્યમાં આગળ વધવાની રાહ સરળ કરશે.
બીજા વિશ્વયુદ્ધના ખતમ થવા અને મિગ સામ્રાજ્યના પતન બાદ બ્રિટિશ સરકારે ઇમિગ્રેશન અને બ્રિટિશ રાષ્ટ્રીયતા કાયદો બનાવ્યો, જેથી બ્રિટિશ સામ્રાજ્યને આધિન રહેતા કેટલાય દેશોના લોકોને બ્રિટન આવવામાં સરળતા રહે. બીજી બાજુ ચીન બેવડી નાગરિકતાને માન્યતા આપતું નથી. ચીને બ્રિટનના નાગરિકતા મામલે તેનો વિરોધ કર્યો અને ચીનમાં બ્રિટિશ રાજદૂતને વિદેશ મંત્રાલયે સમન્સ મોકલીને તેમને ચીનના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ ન કરવા કહેવાયું હતું.
હોંગકોંગના નિવાસીઓને ચીન બ્રિટિશ નહીં, પરંતુ ચીની નાગરિક માને
ચીન બ્રિટિશ પાસપોર્ટવાળા હોંગકોંગના નિવાસીઓને બ્રિટિશ નહીં, પરંતુ ચીની નાગરિક માને છે અને તેનું કહેવું છે કે તેના પર તમામ ચીની કાયદા લાગુ પડે છે. તેમને કોઇ વિશેષ પરિસ્થિતિમાં ચીની બોર્ડર કે હોંગકોંગમાં બ્રિટિશ કાઉન્સેલર પ્રોટેક્શન નહીં મળે. આવી જોગવાઇ ચીનની સરકારે કરી છે , જેને લઇને હોંગકોંગના લોકો ગુસ્સામાં છે. ગયા વર્ષે જુલાઇમાં બ્રિટિશ સરકારે દેશની બહાર રહેતા બ્રિટિશ નાગરિકોને નાગરિકતા આપવાની નવી રીત શોધી કાઢી હતી. આ કારણે હોંગકોંગના લોકોમાં બ્રિટિશ પાસપોર્ટ બનાવવા બ્રિટિશ દૂતાવાસની બહાર અરજી કરનાર લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. હોંગકોંગમાં ૧.૬૭ બ્રિટિશ નેશનલ ઓવરસીઝ પાસપોર્ટ ચલણમાં હતા, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૭.૩૩ લાખ થઇ ગયા, જેમાં ૩૦૦ ટકાથી વધારેની વૃદ્ધિ થઇ. બ્રિટિશ સરકારને આશા હતી કે દેશથી બહાર રહેતા ૨.૫૭ લાખ બ્રિટિશ પ્રવાસી અને તેમના આશ્રિતો આગામી પાંચ વર્ષમાં આ નવા કાયદા હેઠળ સ્વદેશ પરત ફરશે.
હોંગકોંગમાં બ્રિટિશ સરકાર દ્વારા નાગરિકતા આપવાની નવી રીત પણ ચીનના મોં પર જોરદાર તમાચો હતી. હોંગકોંગના કાયદા અનુસાર ચીન હોંગકોંગમાં કોઇ પણ કાયદાકીય પરિવર્તન વર્ષ ૨૦૩૭ પહેલા ન કરી શકે, પરંતુ ચીનની શી જિનપિંગ સરકાર હોંગકોંગ પર પોતાનુ પૂર્ણ આધિપત્ય જમાવવાની ઉતાવળમાં છે.•