રંગો સાથે દુનિયા જોડાયેલી છે અને રંગ વિનાની દુનિયા બેરંગી છે અને માટે જ હોળી- ધુળેટીના તહેવારમાં હિન્દુ શાસ્ત્રોમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યુ છે.
આ માત્ર રંગો નથી પણ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાએલ તથ્ય છે
સુજોગ થેરાપી દ્વારા રંગ ચિકિત્સા કરતા મહિલા
પ્રકૃતિએ જ વિખેર્યા છે રંગો
રંગ માત્ર હોળી-ધુળેટી માટે નથી હોતા પરંતુ રંગોથી રંગ ચિકિત્સા મારફતે લોકોના અનેક રોગો પણ મટાડી શકાય છે અને રંગ ચિકિત્સા પધ્ધતિ હવે ભારતમાં વધુને વધુ પ્રસરી રહી છે અને લોકો સાજા પણ થઈ રહ્યા છે ત્યારે આજે આપણે આજે રંગબેરંગી કલરની થેરાપી વિશે વાત કરીશું.
પ્રકૃતિએ જ વિખેર્યા રંગો
સાંપ્રત સમયમાં કોરોનાના ભયમાં પણ રંગ આપણી સહાય માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. પ્રકૃતિ જ્યાં પીળા લીંબુ, નારંગી, રંગની નારંગી, આછા લીલા રંગની મોસંબી, સફેદ ઝાંય વાળા સફરજન આપી આપણને રોગમુક્ત રહેવા સતત સહાય કરે છે. ત્યાં, જ વિવિધ લીલા રંગની ભાજી સતત આપણને નીરોગી રાખવાનો જાણે સંકલ્પ કરી આપણી થાળીમાં આવી ચડે છે.
દરેક રંગની પોતાની ખાસિયત છે
વિવિધ શાકભાજીના રંગો મેં તો કહેવું જ શું!દરેક રંગની પોતાની ખાસિયત છે, એ ખાસિયત આપણને આપણા વડીલો સમજાવી ગયા છે. રંગના આધારે જ આપણા તહેવારો અને આપણા પ્રસંગો ઉજવાતા હોય છે. "રંગ બરસે" થી "લઈ યે લાલ રંગ" સુધી ના દરેક રંગ જીવનમાં મનોભાવથી લઈ મનોચિકિત્સા સુધી મદદગાર હોય છે. રંગ ને જ્યારે રગ માં મદદ થાય કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે રંગ ચિકીત્સા કહેવાય છે.
સુજોગ થેરાપી દ્વારા રંગ ચિકિત્સા કરી રહ્યા છે
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં નિવૃતિબેન પંડ્યા સુજોગ થેરાપી દ્વારા રંગ ચિકિત્સા કરી રહ્યા છે અને તેઓનું કહેવુ છે કે જે રોગ ફેલાઈ રહ્યા છે જેમકે કેન્સર, એઈડ્સ જેવા મોટા રોગ સિવાય તમામ રોગમાં કલર થેરાપી અસરકારક છે અને તે લોકોના જીવનમાં મહત્વની સાબિત થઈ છે. એટલે જ તો કહેવાય છે કે પ્રકૃતિના રોમેરોમમાં રંગ પ્રવર્તે છે.
પ્રકૃતિએ જ વિખેર્યા રંગો
રંગ રગ માં પ્રવેશ અને રાગ બની જીવનને સંગીતમય બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. પ્રકૃતિએ વિવિધ રંગોની ભેટ માનવજીવનને અર્પિત કરી છે. મેઘ ધનુષથી લઈ વિવિધ ફૂલોનાં, ફળોનાં અને વૃક્ષપર્ણના રંગમાં વૈવિધ્ય દ્રષ્ટિગોચર થાય છે. રંગ માનવજીવનની દરેક અવસ્થામાં આગવું સ્થાન ધરાવે છે. નવોઢાના પાનેતર થી લઈ બાળકને પહેલી વિધિ સુધીના દરેક શુભપ્રસંગે લાલ લીલા પીળા રંગનું મહત્વ સદાય દૈદિપ્યમાન થાય
કલરની સારવાર આજે ધીમે ધીમે વિશ્વમાં પ્રસરી રહી છે
કોરોના ત્યારે જ થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક રંગો એવા છે જે તમારા હાથ કે પગમાં ચોક્કસ પદ્ધતિથી લગાવવામાં આવે કોરોના જેવી મહા મારી સામે સરળતાથી રક્ષણ મેળવી શકાય. રંગ થેરાપીની સારવાર લેતા દર્દીઓમાં એક પ્રકારનો સંતોષ જોવા મળી રહ્યો છે અને કલરની સારવાર આજે ધીમે ધીમે વિશ્વમાં પ્રસરી રહી છે
હોળીના રંગો વિશે વાત કરતા નિવૃતિબેન કહે છે કે હોળી એ આપણો તહેવાર છે અને હોળીથી ઉનારાનો ખરો પ્રારંભ થાય છે લોકો હોળી- ધુળેટીના દિવસથી કલરમાં રંગાઈને પાણીની નજીક આવે છે અને કેસુડાના કલરમાં રંગાઈને તેઓ અનેક દર્દ મટાડી શકે છે તે જ રીતે સુજોગ થેરાપીમાં પણ રંગોની આખી વાત છે જેનાથી સારી રીતે થેરાપીથી અનેક રોગો મટી શકે છે