ખેડૂતોને પુરતા ભાવ મળે તે માટે વીટીવીની મુહીમ રંગ લાવી છે. ખેડૂતોને મગફળીની ભાવ પુરતા મળે તે માટે રુપાલાએ રજૂઆત કરી છે.
ખેડૂતોને પુરતા ભાવ મળે તે માટે VTVની મુહિમ લાવી રંગ
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમ રૂપાલાએ કરી રજૂઆત
કેન્દ્ર સરકારમાં કરી રૂપાલાએ રજૂઆત
વીટીવી વિશેષમાં સૌથી પહેલા વાત કરવી રાજ્યના અન્નદાતાની. કારણ કે, આજે તેમના માટે એક મહત્વપૂર્ણ અને તેમના હિત સાથે જોડાયેલી રજૂઆત થઈ છે. મગફળીના સંપૂર્ણ ઉત્પાદનને સરકાર ખરીદે તેવી રજૂઆત કરાઈ છે. અને તે પણ ખૂબ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી દ્વારા. આ પાછળ તેમણે અનેક તર્કો પણ આવ્યા છે. ત્યારે કેવી રીતે આ રજૂઆત ખેડૂતોની આવક કરી શકે છે બમણી જૂઓ આ રિપોર્ટમાં
ખેડૂતોને પુરતા ભાવ મળે તે માટે વીટીવીની મુહીમ રંગ લાવી છે. ખેડૂતોને મગફળીની ભાવ પુરતા મળે તે માટે રુપાલાએ રજૂઆત કરી છે. કેન્દ્રીય રજયકક્ષાના કૃષી મંત્રીએ કેન્દ્રસરકારમાં રજૂઆત કરી છે. ગુજકોમાસોલના ચેરમેન દીલિપ સંધાણીની રજૂઆત પગલે આ રજૂઆત કરવામાં આવી હતી.
શું કહે છે પુરષોત્તમ રૂપાલા?
પુરૂષોતમ રુપાલાએ કેન્દ્ર સરકારમાં કરી રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું હતુ કે, કેન્દ્ર સરકાર વર્ષે 70 હજાર કરોડની ખાધતેલની આયાત કરે છે. જે ખાધતેલની આયાત બંધ કરી આપણી મગફળી પુરતી ખરીદ કરો તેવી રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ટેકાના ભાવે સંપુર્ણ મગફળીની ખરીદી કરે તેવી માંગ કરાઈ છે. એક પણ ખેડૂતનો એક પણ મગફળીનો દાણો વેંચાયા વગરનો ના રહે તે જોવું રહ્યું. સરકાર જ મગફળીમાંથી તેલ કાઢીને દેશને પુરૂ પાડે તેવી વ્યવસ્થા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તેલ કાઢ્યા બાદ મગફળી વધે તો તેની સિંગ કરીને વેંચવાનુ પણ આયોજન છે. જો આ રીતે આયોજન થાય તો મગફળીના ખેડૂતોને પુરતા ભાવ મળે. ખેડૂતોને પુરતા ભાવ મળે તો ખેડૂતો માલામાલ થઇ જાય.