ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લો પ્રભાવિત થયો છે. ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઊનામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા હતા. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા હતા. ભારે વરસાદના કારણે હીરા તળાવ છલકાયુ હતું. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.
તોબીજી તરફ સૂત્રાપાડાના અનેક ગામ બેટમાં ફેરવાયા હતા. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સરસ્વતી નદીમાં ફરીવાર ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે નદીના પાણી નીચાણવાળા ગામડાઓમાં ફરી વળ્યા હતા અને અનેક ઘરોમાં પાણીએ ઘરવખરી બગાડી હતી.
ઉના તાલુકાનું લેરકા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઉના તાલુકાના લેરકા ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. ગીર ગઢડામાં સતત વરસાદ વરસી રહ્યો હતા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ આવતા બોડીદાર ગામ બેટમાં ફેરવાયુ હતું. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ સમગ્ર ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.