મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી,કાનોડ,ભાટપુરા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી જે ખેડૂતોને આજદિન સુધી જમીનનું વળતર ન મળતા ખેડતોની હાલત કફોડી બની છે.
ભારત માલામાં ખેડૂતો ભરાયા!
જમીન સંપાદન પછી પણ પૈસા નથી મળ્યા
નિયમ કરતા વધુ જમીન કરાઈ સંપાદીત
ખેડૂતોની હાલત કફોડી
ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ભારત માલા પ્રોજેકટ અંતર્ગત દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે જે માટે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલ જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કાલોલ તાલુકાના કાનોડ, ભાટપુરા, ભાદરોલી સહીત ગામોના 100 થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે જે ખેડૂતોને વળતરની રકમ ન મળતા ખેડૂતો ની હાલત ન ઘરના ન ઘાટના જેવી બનવા પામી છે.
મૂળ જમીનના માલિક મુંઝવણમાં મુકાયા
ખેતી ઉપર જીવન નિર્વાહ કરતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છે. કાલોલ તાલુકામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપદાન કરવામાં આવેલી જમીનનું વળતર ની નોટિસ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્ય ખેડૂતના ને થમાવી દેવામાં આવી છે જેના કારણે મૂળ જમીનના માલિક મુંઝવણમાં મુકાયા છે .
નોટીસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી
હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોને વળતર આકારણીની નોટીસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી છે જેને લઈને પણ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાઈ રહ્યો છે, આ વિસ્તારના કેટલાક ખેડૂતોની જમીન જાહેરનામામાં દર્શવાયા કરતા વધુ જમીન અધિગ્રહણ કરવામાં આવી, હોવાનો પણ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે.
જમીન વળતરની રકમ ઝડપી મળી રહે તેવી માંગ
આવા અનેક પ્રશ્નો હાલ સર્જાવા પામતા ખેડૂતો રજુઆત કરે તો કોને કરે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે હાલ આ વિસ્તાર ના ખેડૂતો સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર પાસે જમીન વળતરની રકમ ઝડપી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે , વિકાસ ની ગાથા અને ચમક વચ્ચે માત્ર ખેતી પર નિર્ભર આ વિસ્તાર ના ખેડૂતોના પરિવારનું જીવન અંધકાર માં ધકેલાયું છે આજીવિકા ગુમાવી બેઠલા ધરતીપુત્રો પોતાની અરજ લઇ ને જાય તો જાયે ક્યાં તેવી સ્થિતિ માં મુકાયા છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવે અને ખેડૂતોને તેમની જમીનનું પુરે પૂરું વળતર વહેલી તકે મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.