પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે કોગેસ જીત બાદ હવે લીબડી વિધાનસભાની સીટ પર ભાજપ તૈયારી આરંભી રહી છે. ત્યારે લીબડી બેઠકના રાજકીય સમીકરણ કરતા ઐતિહાસિક સમીકરણ પણ એટલો જ રોચક છે.
જીત માટે જ્ઞાતિવાદી સમીકરણ જવાબદાર
કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા યોજાઈ રહી છે ચૂંટણી
આ વખતે ભાજપની જીતના આસાર
ભાજપ તરફથી કિરીટસિંહ રાણા મેદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે સામે કોંગ્રેસે ચેતન ખાચરને મેદાનમાં ઉતાર્યા છે આ બધા વચ્ચે સોમા ગાંડા અપક્ષ ફોર્મ ભરશે તો પણ કઈ ફરક નહિ પડે એવું રાજનીતીકોનું કહેવું છે. કોંગ્રેસના ચેતન ખાચરે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે લિંબડીની જનતા તેમને જીતાડશે અને ભાજપને જાકારો આપશે
શું છે લીંબડીનો ઈતિહાસ
લીબડીએ સ્ટેટ રાજા ઠાકોર સાહેબે પહેલો જમીનાગૃહણના કાયદો પણ આપ્યો હતો. જટાશંકરના સમયમાં ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા ઉપર સૌથી વધુ મહત્ત્વ આપાવામાં આવતું હતું.. ભૂમિ સંપદાના વિકાસ માટે જરૂરિયાતમંદ લોકોને રાજા તરફથી ત્રણ વર્ષ માટે કોઈ પણ કર લીધા વિના જમીન ખેડવા દેવામાં આવતી હતી. તેમજ લિબડીના રાજાએ લીંબડી રાજના સુવ્યવસ્થાપન માટે તેમણે "સુધારી" નામની સમિતિની પરંપરા ચાલુ કરી. દાખલો બેસાડવા માટે પુત્રમાં લગ્નમાં ઓછો ખર્ચ કરીને તે લગ્નમાં નાણાં બચાવીને લિબડીમાં શાળા અને આરોગ્ય સુવિધા પણ પુરી પાડી હતી.
જશવંતજીના સમય દરમ્યાન સ્વામી વિવેકાનંદ તેમની સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન લીંબડી શહેરમાં આવ્યા હતાં. રાજ જશવંતજી તેમના મિત્ર બન્યા હતાં. ૪ મે ૧૮૯૨ થી ૨૮ મે ૧૮૯૨ દરમ્યાન તેઓ મહાબળેશ્વરમાં સાથે રહ્યાં હતાં. તેમની વચ્ચેની આધ્યાત્મીક ચર્ચાઓ રાજા જશવંતસિંહની રોજનીશીમાં વર્ણવાયેલા છે. એવું માનવામાં આવે છે કે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે રાજા જશવંતસિંહજીએ સ્વામી વિવેકાનંદને પ્રેરણા આપી હતી.
સૌરાષ્ટ્રમાં આમ તો ઘણાં રજવાડાં હતાં, પણ રસ્તા પર સૌપ્રથમ વિદ્યુત દીવા રાજા જટાશંકરના સમયમાં લીંબડી શહેરમાં મુકવામાં આવ્યાં હતાં પરંતુ આજે લીબડી વિધાનસભામાં રોડ રસ્તા અને આરોગ્ય સુવિધા આગવી ઓળખ ધરાવતું સ્ટેટ લીબડી આજે ચૂંટણીના મુદાઓમાં શિક્ષણ,આરોગ્ય અને પ્રાથમિક સુવિધાનો અભાવની વાત ગૃહિણીઓ મુખે ચર્ચાઈ રહી છે.
જો કે લીબડીમા માર્કેટ પણ પેટા ચૂંટણીની વાતોમાં માર્કેટના વેપારીઓ વિધાનસભાની લીબડી બેઠક અંગે કહેવા લાગ્યા કે ભાજપ કે કોંગ્રેસનો ગઢ લીબડીની બેઠક માટે ના કહી સકાય. કેમકે છેલ્લા દસ બે દાયકામાં બે વખત ભાજપ તો બે વખત કોંગ્રેસ આ બેઠક પરથી જીતે છે,તેમ કહ્યું હતું. જે સ્ટેટમાં જમીન અધિગરણ કાયદો બન્યો આજે તે સ્ટેટ અટલેકે વર્તમાન લીબડી વિધાનસભાના ખેડૂતો ટેકના ભાવ,બિયારણમાં અને ખાતરમાં માંગની આશા સેવી રહ્યો છે.
જીત માટે જ્ઞાતિવાદી સમીકરણ જવાબદાર
જો કે બેઠક અંગેનું જ્ઞાતિવાદી ગણિત પર નજર કરીએ તો,આ બેઠક પર તળપદા કોળી અને ચુવાળીયા કોળી સમાજનો પ્રભાવ છે...તે ઉપરાંત દલિત મતદારો પણ હારજીત માટે જરૂરી બની રહે છે. તળપદા કોળી ૩૪.૭૨ ટકા, ચુવાળીયા કોળી ૯.૪૬ ટકા, દલિત મતદારો ૧૬.૯૧ ટકા, ક્ષત્રીય મતદારો ૧૦.૭૮ ટકા, દલવાડી સમાજ ૧૦.૮૭ ટકા, માલધારી ૧૩.૬૮ અને રાજપૂત સમાજના ૧૩.૫૧ ટકા. ત્યારે ગત ટર્મના જીત માટે ભાજપે જ્ઞાતિવાદી સમીકરણ જવાબદાર ગણાવી રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા યોજાઈ રહી છે ચૂંટણી
તો રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોગેસના ધરસભ્યો સોમા પટેલે રાજીનામુ આપતા લીબડી બેથકમાં પેટા ચૂંટણી યોજવાના છે. તયારે કોગેસ હવે પ્રજાના પ્રશ્નો જેવા કે ચુંટણી મુદામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા, ઉદ્યોગ રોજગાર, આરોગ્ય અને શિક્ષણ સેવાના પ્રશ્નો તેમજ લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવ સહિતના મુદા ચુંટણીમાં મુખ્ય મુદાઓ સાથે કોગેસ પેટા ચૂંટનીમા ઉતરવા તૈયારી દર્શાવી રહી છે.
આ વખતે ભાજપની જીતના આસાર
લીંબડી વિધાનસભા બેઠક ભાજપ કે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી.છેલ્લી ચાર ચુંટણીમાં બે વખત ભાજપા અને બે વખત કોંગ્રેસ જીતી છે. તેમાં પણ દર ટર્મમાં મતદારો વારાફરતી બંને પક્ષોને મોકો આપે છે. જેથી ભાજપને પેટા ચૂંટણીમાં જીતની આશા છે.