રાજકોટઃ જેતપુર મગફળી કૌભાંડ મામલે નાફેડ અને ગુજકોટના અધિકારીઓ સહિત 18 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે હવે મગફળી કૌભાંડના કથિત માસ્ટર માઇન્ડ મગન ઝાલાવાડિયા પોલીસ ફરિયાદ રોકવા માટે હવાતિયા મારે છે. તેણે પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે તંત્ર ઉપર પ્રેશર લાવવા પ્રયત્નો કર્યા હતા. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતી ઓડિયો ક્લિપ Vtv પાસે પહોંચી છે.
આરોપીઓ સુધી પોલીસ અને તંત્રના હાથ પહોંચે નહીં અને પોતે બધુ સંભાળીને પતાવી દેશે તેવા ષડયંત્રનો પર્દાફાશ આ Audio clipમાં વાતચીત પરથી થાય છે. જેમાં તે માનસિંહ નામના વ્યક્તિ સાથે વાત કરે છે.
સાંભળો ઓડિયો ક્લિપ -
ઝાલાવાડિયા- માનસિંહ ભાઈ
માનસિંહ- હં.. બોલોબોલો
ઝાલાવાડિયા- હવે સમાધાનમાં કાંઈક ગણિત હોય તો મેં નાફેડમાં વાત કરી લીધી પણ મિનિસ્ટ્રિ તો એમ જ કહે છે કે ગુનો દાખલ કરો..
માનસિંહ- હં..હં..
ઝાલાવાડિયા- બરોબર તો તમે મિનિસ્ટ્રિમાં કહેવડાવી દો કે પોલીસમાં થોડુંક ટાઢું પાડી દો.. બરોબર..
માનસિંહ- હં..
ઝાલાવાડિયા- કિરીટ પટેલને કહીને આપણા સાંસદ રાજેશભાઈને કહી અને ફોન થતા હોય તેવી રીતે ફોન કરાવી દો કે પ્રેસર ના કરે અમે અમારી રીતે હધું પતાવી દેશું...
માનસિંહ- પાકું ચાલો
ઝાલાવાડિયા- બરાબર તેને ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં આનો રસ્તો નિકળી જશે...
માનસિંહ- સારું ચાલો.. નાફેડમાં મેં ફોન કર્યો હતો તો તે લોકો કે અમને કાંઈ ખબર જ નથી...
ઝાલાવાડિયા- અહીં રોહિત ફોન કરી ઠેકડા મારી રહ્યો છે.. એને બીજાની ખબર ન હોયને તેના બોસને એકને જ ખબર હોય ને..
માનસિંહ- નાના બરાબર
ઝાલાવાડિયા- બરાબર..તો એનો જો રસ્તો કાઢવો હોય તો પહેલા તો તમે આપણા મંડળી વાળા નાથાભાઈ કે શું નામ?
માનસિંહ- મુળુભાઈ
ઝાલાવાડિયા- મુળુભાઈ પાસે પહેલા તો તમે ચોખવટ કરી લો કે મુળુભાઈ તમે સમાધાનમાં એગ્રી છો પછી ન ફરી જતા તો અમે બધો રસ્તો કાઢી લઈએ...
માનસિંહ- તે વાત થઈ ગઈ... કાલે તે મને કહે કે તુ મારી સાથે ચાલ પણ મારે કાલે અમદાવાદ તારીખ છે અમે ભાજપમાં આવીયાને કોંગ્રેસમાંથી એટલે તેની વિકાસ કમિશ્નરમાં તારીખ છે તે પતાવીને અમે બંને તમારી પાસે આવી જશું..
ઝાલાવાડિયા- મારી પાસે આવવા કરતા હું તમને કહું છું કે પહેલા તો આ રસ્તો કરો સરકારમાંથી પ્રેસર બંધ કરાવી દો અને હું બે દિવસ ગોડાઉન ખોલીસ નહીં ગમે તે કરશે ને તો પણ...