કહેવાય છે કે જેલની સજા થયા એટલે અભિશ્રાપ. પરંતુ એક કેદી માટે આ વર્દાન બન્યુ છે. જેલમા 14 વર્ષની સજામા શીખેલી સંગીતની કળા એક વ્યક્તિ માટે રોજગારીનુ સાધન બન્યુ છે. એક બાજુ સંઘર્ષમય જીવન વચ્ચે સંગીતની ધૂનથી કેદીના જીવનમા નવુ પ્રકાશ વેળ્યુ છે. ત્યારે આવો જોઈએ એક કેદીથી લઈને એક સંગીતકાર સુધીની આ સફરને.
હત્યાની સજા બાદ હવે સંગીતકાર બન્યો વ્યક્તિ
સંઘર્ષ સાથે જીવનમાં આગળ વધવાની ચાહના
14 વર્ષમાં બદલાય ગઈ માણસની જીવન સરણી
આ છે અમદાવાદના નરેન્દ્રસિંહ રાઠોડ જેઓ પારીવારીક ઝઘડાના ઉશ્કેરાટમા હત્યા જેવા ગુનામા 14 વર્ષની સજા કાપી ચૂક્યા છે. અને જેલમાથી બહાર આવ્યા બાદ પણ તેમના જીવનમા ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. જયારે કોઈ વ્યકિત હત્યાના ગુનામા સજા ભોગવીને આવે ત્યારે સમાજમા લોકો તેનો સ્વીકાર કરતા નથી. તેને સજા તો ભોગવી લીધી. પરંતુ તેમ છતા લોકોની આંખોમા તો હજુ તે મોટો ગુનેગાર હોય તેવી નજરો જોવા મળતી હોય છે.
જેલના કેદીથી સંગીતના શિક્ષક સુધીની સફર
પરિવારની મુશ્કેલીઓ અને બેરોજગારી વચ્ચે નરેન્દ્રસિંહએ હોટલ શરૂ કરી. પણ અનુભવના અભાવે આ ધંધો પણ નિષ્ફળ રહયો. ત્યારે નરેન્દ્રસિંહના જીવનમા પ્રકાશનુ કિરણ બનીને આવ્યુ સંગીત. જે તેમણે જેલના અંધકાર અને નિરાશાથી દૂર રહેવા શીખ્યુ હતુ. આજે આ સંગીત તેમની પ્રેરણા બન્યુ. જયા લોકો તેમને નોકરી આપતા ધુત્કારતા હતા.. ત્યા હવે સંગીતના રસીયાઓ તેમની પાસે સંગીત શીખવા માટે આવે છે. જેલના કેદીથી સંગીતના શિક્ષક બન્યાની ખુશી નરેન્દ્રસિંહની આંખોમા છલકાઈ રહી છે.
પોતાની આગવી કળાથી અનેક યુવકોને સંગીતનુ જ્ઞાન પિરસ્યુ
જેલમા સારી વર્તણૂકને લઈને નરેન્દ્રસિંહને 14 વર્ષે જેલની સજામાંથી 2017મા મુક્તી મળી હતી. તેમણે એક વર્ષ નવા જીવનની શરૂઆત કરવા માટે ખુબ જ સંઘર્ષ કર્યુ. પરંતુ લોકોએ તેમને સ્વીકાર્યા નહિ. આ દરમ્યાન હેલ્પીંગ હેન્ડસ ફોર અધર્સ ફાઉન્ડેશન નામની એનજીઓનો સંપર્ક થયો. આ એનજીઓ જેલમા કેદીઓને ઈન્ગલીંશ સ્પીકીગ, સંગીત વગેરેની તાલીમ આપે છે. આ એનજીઓના સંચાલક નરેન્દ્રસીંહની કળાથી જાણકાર હતા. જેથી તેમણે સંગીતને પોતોનુ પ્રોફેશન બનાવવાની સલાહ આપી અને એનજીઓ સંચાલીત સત્યમ એજયુકેશન એન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રૃપ નામથી સંસ્થાની સ્થાપના કરી. જેમનુ સંચાલન નરેન્દ્રસિંહને સોપ્યુ. છેલ્લા બે માસમા નરેન્દ્રસિહએ પોતાની આગવી કળાથી અનેક યુવકોને સંગીતનુ જ્ઞાન પિરસ્યુ.
નિરાશામાંથી આશાને જીવીંત કરીને નવજીવન મેળવવુ એ નાની વાત નથી
14 વર્ષના કાળાવાસની સજા ભોગવીને આવેલ કોઈપણ વ્યકિત નિરાશ થઈ જાય છે. પરંતુ આ નિરાશામાંથી આશાને જીવીંત કરીને નવજીવન મેળવવુ એજ સાચુ જીવન છે. જેલમાંથી નરેન્દ્રસિંહએ ગુનાની સજા તો ભોગવી. પરંતુ પોતાનામા છુપાયેલી આગવી કળા અને અનુભવે તેમના જીવનો નવી રાહ બનાવી. પોતે કરેલી ભુલથી શીખ મેળવીને નરેન્દ્રસિંહ હવે યુવાનોને શીખ આપીને તેમનુ જીવન ઉજ્જવળ બનાવી રહયા છે.