ભાજપે સામાન્ય વ્યક્તિ કિરીટ પરમારને મેયર બનાવ્યા છે. રિયલ કોમનમેન મેયર કિરીટ પરમારે VTV સાથે મુલાકાત જઉઓ
કોમનમેન બન્યા મેયર કિરીટ પરમારની VTV સાથે વાતચીત
સામાન્ય જિંદગી જીવે છે કિરીટ પરમાર
હું પ્રજા વચ્ચે રહીશ, પ્રજાના કામ કરીશ
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી થઈ છે. કોમન મેન તરીકે જાણીતા મેયર કિરીટ પરમારે VTV સાથે વાતચીત કરી.
શું કહ્યુ કિરીટ પરમારે?
કિરીટ પરમાર સામાન્ય જિંદગી જીવે છે. મેયર બન્યા બાદ પણ જાતે જ સેવિંગ કરે છે. કિરીટ પરમારે જણાવ્યું કે હું નિયમોમાં માનું છું માટે અપરિણીત છું, પ્રજા વચ્ચે રહીને લોકો માટે કામ કરીશ. પાર્ટીની જવાબદારીનું નિર્વાહન કરીશ.
નળીયાવાળા મકાનમાં કિરીટ પરમારે જીવન ગાડ્યું
મેયર બન્યા બાદ પણ કિરીટ પરમાર જાતે જ દાઢી કરે છે. RSSનો ચુસ્ત કાર્યકર છું. હું નિયમોમાં માનું છું માટે અપરિણીત છું. હું પ્રજા વચ્ચે રહીશ અને લોકોના કામ કરીશ. મને ક્યારેય કલ્પના પણ નહોતી કે હું મેયર બનીશ. પાર્ટીએ જે જવાબદારી આપી છે તેનું નિર્વાહન કરીશ. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો ભેદ છે જ નહીં. સૌથી વધુ કામો પૂર્વ વિસ્તારના મંજૂર થાય છે. 2.5 વર્ષ વિકાસના કામો અમદાવાદમાં થશે