રાજ્ય સરકારે એક ડઝનથી વધુ અધિકારીઓના પ્રમોશન માટે તેમના નામોની યાદી બનાવીને તેને UPSCને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મોકલી હતી. જેમાંથી હવે 11 જેટલાં અધિકારીઓને IASનું પ્રમોશન નક્કી થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે VTVGujarati.com એક ડઝનથી વધુ અધિકારીઓને પ્રમોશન મળશે તેના સૌપ્રથમ ન્યૂઝ આપવામાં આવ્યાં હતા જેના પર હવે સરકારી મહોર વાગતી જોવા મળી રહી છે.
GAS કેડરના 11 અધિકારીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે જેમાં તેમને હવે IAS કક્ષાના અધિકારી બનાવી દેવામાં આવ્યા છે. પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં મેહુલ દવે, રમેશ મેરજા, નૈમેષ દવે, કે.સી સાંપત અને પી.ડી પલસાણાના નામો સામે આવ્યાં છે. આ 5 નામો સહિત કુલ 11 અધિકારીઓ છે જેમનું UPSC દ્વારા પ્રમોશન કરાયું છે તેવી માહિતી મળી રહી છે.
બ્રિજેશ મેરજાના ભાઈને પ્રમોશન
જ્યારે રમેશ મેરજા ખેડા જિલ્લાના એડીશનલ કલેકટર છે. નોંધનીય છે કે રમેશ મેરજા બ્રિજેશ મેરજાના ભાઈ છે. બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા અને હાલમાં જ તેમણે ભગવો ખેસ ધારણ કર્યો છે.
મેહુલ દવે
GAS કેડરના અધિકારી મેહુલ દવે મહેસાણામાં DRDAના ડિરેક્ટર પદ હાલ કાર્યરત છે. જેમનું પણ નામ આ યાદીમાં IAS અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. જૂન 2019થી તેઓ આ પદ પર ફરજ બજાવી રહ્યાં છે અને મૂળ અમરેલીના વતની છે.
નૈમેષ દવે
પ્રમોશન આપવામાં આવેલ છે તેમાં વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના પર્સનલ સેક્રેટરી નૈમેષ દવેનો પણ સમાવેશ થાય છે. મૂળ ગાંધીનગરના આ અધિકારી 2018થી વિધાનસભા સ્પીકરના સેક્રેટરી તરીકે કામ કરી રહ્યાં છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે અધિકારીઓની એક યાદી UPSCને મોકલી આપી હતી જેમાં હવે UPSCએ 11 નામોને મંજૂરી આપી દીધી છે.
K. C. સંપત
મૂળ રાજકોટના અને હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યના ગવર્નર એટલે આનંદીબેન પટેલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
P. D. પલસાણા
આ સિવાય અન્ય એક અધિકારી જેમને પ્રમોશન મળ્યું છે તેમનું નામ છે P. D. પલસાણા. તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં OSD (Officer on Special Duty)ના પદ પર છે. તેઓ મૂળ અમરેલીના છે.
રાજ્ય સરકારે એક ડઝનથી વધુ અધિકારીઓના પ્રમોશન માટે તેમના નામોની યાદી બનાવીને તેને UPSCને સોંપી હતી. જ્યાં રાજ્ય સરકારના અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનીંગના ટોચના અધિકારીઓએ કયા અધિકારીઓની બઢતી થશે તે નક્કી કરવા ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને અન્ય અધિકારીઓ દિલ્હીમાં બેઠક કરી હતી.
કેવી રીતે અધિકારીની બઢતી નક્કી કરવામાં આવે છે?
મોટા ભાગે સામાન્ય વહીવટ એકમ (GAD) દ્વારા GAS કેડરના અધિકારીઓની આ સુચિ તૈયાર કરવામાં આવે છે જેઓ પ્રમોશન મેળવવાને પાત્ર છે. તેમના નામો રાજ્ય સરકારની ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન કમિટી દ્વારા ચકાસવામાં આવે છે.
આ સાથે UPSC અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઈનીંગ દ્વારા આ અધિકારીઓ વિષે જાણકારી મેળવવામાં આવે છે અને તેમણે નક્કી કરેલા નામોને UPSCની ફાઈનલ મિટિંગમાં મુકવામાં આવે છે જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે મળીને UPSCના સત્તાધીશો તેમને યોગ્ય નામો નક્કી કરે છે.
જેટલા અધિકારીઓને અપૃવલ મળે છે તેમના નામો UPSC કેન્દ્ર સરકારમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રેઈનિંગ એન્ડ પર્સનલને પહોંચાડે છે જેઓ આ અંગે નોટીફીકેશન જાહેર કરે છે.