ગુજરાતમાં તંત્રની બેદરકારીને કારણે સર્જાયેલા દૂર્ઘટનાઓ અને અકસ્માતોમાં કેટલાય લોકોના ભોગ લેવાય છે ત્યારે સરકાર ખાલી એ વખતે તપાસની વાત કરીને છેલ્લે તપાસમાં કઈ બહાર આવતુ નથી.
અમદાવાદમાં દુર્ઘટનાઓમાં મનપાની કોઇ જવાબદારી નહી
છેલ્લા 5 વર્ષની દુર્ઘટનાઓમાં અધિકારીઓ સામે કોઇ પગલાં નહી
10 મોટી દુર્ઘટનાઓમાં અધિકારીઓની કોઇ જવાબદારી નહી
અમદાવાદમાં અનેક દુર્ઘટનાઓ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. છેલ્લા 5 વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં હજુ સુધી કોઈ જ અધિકારીઓ સામે પગલા નથી લેવાયા. અલગ અલગ ઘટનામાંઓ અનેક લોકોના જીવ ગયા પરંતુ કોઈ જ એક્શન નથી લેવામાં આવ્યા. 10 મોટી દુર્ઘટનાઓમાં અધિકારીઓની કોઇ જવાબદારી હજુ સુધી નક્કી જ નથી થઈ. અલગ અલગ 10 ઘટનાઓમાં જવાબદારો સામે કોઈ પગલાં નથી લેવાયા.
એપ્રિલ 2016માં ડિમોલિશન કામગીરીમાં 4 લોકોના મોત થયા હતા. માર્ચ 2016માં એલ.જી હોસ્પિ.માં મોતિયા ઓપરેશનથી લોકોએ દ્રષ્ટી ગુમાવી હતી. ઑપરેશન કરનાર તમામ ડોક્ટર્સને ક્લીનચીટ અપાઈ છે. જૂન 2016માં નગરી હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડમાં પણ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી.
15 લોકોની દ્રષ્ટી ગુમાવવા પાછળ ઇન્જેક્શનને જવાબદાર ગણાવાયા છે. ઓગસ્ટ 2018માં સરકારી વસાહતના તૂટી પડતા 1નું મોત થયું હતું. મે 2019માં ઓઢવમાં ટાંકાની સફાઇ કરતા 4 શ્રમિકોના મોત થયા પરંતુ તેમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
2019માં કાંકરિયામાં રાઇડ તુટવાને ઘટનામાં પણ કોઈ જ કાર્યવાહી ન થઈ. એવી જ રીતે ફેબ્રુઆરી 2020માં નંદન ડેનિમ કંપનીમાં આગમાં 8 શ્રમિકોના મોત થયા પણ કાર્યવાહી ન થઈ. ઓગસ્ટ 2020માં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પણ 8 દર્દીઓના મોત થયા પરંતુ તપાસ શૂન્ય છે. શ્રેય અગ્નિકાંડમાં પણ મનપા અને ફાયરના અધિકારીઓને ક્લીનચીટ આપી દેવાઈ છે. નવેમ્બર 2020માં પિરાણા બ્લાસ્ટમાં 12 લોકોનો ભોગ લેવાયો પરંતુ હજુ સુધી કોઈ જ એક્શન નથી લેવાયા.