ખેડાઃ ફરી Vtvના અસરદાર અહેવાલે નઘરોળ તંત્રને દોડતું કર્યુ છે. ખેડા જિલ્લામાં જર્જરીત બ્રિજ પરના Vtvના અહેવાલની અસર થઇ છે. મહીસાગર નદી પર જૂના પુલનું સમારકામ થશે.
જિલ્લા કલેકટરે બ્રિજ પર આવન જાવનનો પ્રતિબંધ મુક્યો છે. આગામી 42 દિવસ સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે. બ્રિજના સમારકામને લઇને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરાઇ છે.
આવરદા પૂર્ણ થયો હોવા છતાં જર્જરીત બ્રિજનો ઉપયોગ કરાતો હતો. અને Vtvએ જર્જરીત બ્રિજ પર જોખમી આવન જાવનનો અહેવાલ દર્શાવ્યો હતો.