અમદાવાદમાં ટ્રાફીકના નિયમોને લઈને VTV દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું જેમા લોકોની ગંભીર બેદરકારી સામે આવી. શહેરીજનો ચાર રસ્તા પર સિગ્નલનો અમલ પણ નથી કરતા સાથેજ રોન્ગ સાઈડ પર શોર્ટકટ મારતા પણ લોકો નજરે પડ્યા હતા.
અમદાવાદીઓ નથી કરતા ટ્રાફિકના નિયમોનું પાલન
VTV દ્વારા આજે રિયાલીટી ચેક કરવામાં આવ્યું
લોકો રોન્ગ સાઈડ પર વાહન ચલાવતા વધારે નજરે પડ્યા
અમદાવાદમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે મુદ્દે VTV દ્વારા આજે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમા લોકોની ગંભીર બેદરકારી જોવા મળી હતી. મોટા ભાગના લોકો શોર્ટકટ મેળવવા માટે રોન્ગ સાઈડ પર વાહન ચલાવતા જોવા મળ્યા હતા જે તેમને ભારે પડી શકે છે.
ચાર રસ્તા પર નથી થતું ટ્રાફિકના નિયમનું પાલન
આપને જાણીને નવાઈ લાગશે કે ચાર રસ્તા પર જે સિગ્નલ લગાવેલા છે. તેનો પણ શહેરીજનો અમલ નથી કરતા તેમને જ્યા જવું હોય તે બાજુ સાઈડમાંથી કટ મારીને તેઓ ત્યાથી નીકળી જતા હોય છે. સાથેજ ચાર રસ્તા પર તો પોલીસ પણ સમયસર નથી પહોચતી.
9.30 સુધી ટ્રાફિકકર્મીઓ નથી હોતા
ટ્રાફિક પોઈન્ટ પર 9.30 વાગ્યા સુધી ટ્રાફિકકર્મીઓ નથી હોતા જેના કારણે લોકો યુ ટર્ન લેવાનું ટાળીને કટ મારીને આગળ નીકળી જતા હોય છે. જે તેમને ભારે પડી શકે છે. સાથેજ અન્ય લોકો પણ તેમની ભૂલનો ભોગ બનતા હોય છે. જેમા કટ મારવાના ચક્કરમાં સામેથી આવતું વાહન અથડાય ત્યારે અકસ્માત થતો હોય છે.
ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી
ઉલ્લેખનીય છે કે શહેરીજનો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે જરૂરીછે કારણકે લોકોની ભૂલને કારણે તેમના પરિવારને ભોગવવાનો વારો આવતો હોય છે. સાથેજ જેની સાથે અકસ્માત થાય છે તેને અને તેની ફેમેલીને પણ ભોગવવાનો વારો આવે છે. જેથી અમદાવાદના લોકો ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત થાય તે વધારે જરૂરી છે.