લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે VTV દ્વારા 'લોકતંત્રની મહાપરિષદ' મથાળાં હેઠળ ખાસ ચર્ચાનું આયોજન કરવામાં આવેલ. જેમાં દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મહામંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં બપોર બાદ 'વાસ્તવિકતાના પોત પર લોકપ્રિયતાની ભાત' વિષય પર સંવાદ યોજાયો હતો
જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા અને ભાજપના કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા તથા વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપુર જોડાયા હતા. આ સમગ્ર સેશનનું સંચાલન VTVના દેવસી બારડ તથા મનીષા ઠેસિયાએ કર્યું હતુ. સમગ્ર ચર્ચા જોવા માટે જુઓ આ VIDEO....