આજે 8 ઍપ્રિલ 2019ના રોજ VTV Conclave 2019નું આયોજન VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મુખ્ય મહાલોકતંત્રની મહાપરિષદ થીમ પર આધારિત હતી. આ શાનદાર ઇવેન્ટમાં આજે ગુજરાતના રાજકીય જગતના દિગ્ગજો, રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યાં હતાં.
આજે 8 ઍપ્રિલ 2019ના રોજ VTV Conclave 2019નું આયોજન VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મુખ્ય મહાલોકતંત્રની મહાપરિષદ થીમ પર આધારિત હતી. આ શાનદાર ઇવેન્ટમાં આજે ગુજરાતના રાજકીય જગતના દિગ્ગજો, રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યાં હતાં.
આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ હાલમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીના માહોલમાં રાજકીય નેતાઓને એક મંચ પર લાવીને યોગ્ય મંથન કરીને સામાન્ય જનતા તેમ જ મતદારોને સચોટ ચિત્ર મળી રહે. જેથી આ ઉદ્દેશને લઈને કુલ 7 એવાં મુદ્દાઓને લઈને આજે VTVએ મહાપરિષદનું આયોજન કર્યું હતું. જેના મુદ્દાઓ અને તેની ચર્ચાના વીડિયો નીચે મુજબ છે.
1. 26 જળવાશે?
આ પરિષદની શરૂઆતમાં સીએમ રૂપાણી હાજર રહ્યા હતા. જેમાં મુખ્ય મુદ્દો હતો કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતની 26 બેઠકો જળવાશે કે નહીં. જેના જવાબમાં સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. ગુજરાતની જનતા બીજા કોઈને પ્રધાનમંત્રી ઈચ્છતી જ નથી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. સીએમ રૂપાણીએ ખુલ્લા મને આજે વીટીવીના મંચ પર જવાબો આપ્યા હતાં.
2. ચૂંટણીનો મર્મ, જાતિ અને ધર્મ?
કૉન્કલેવના બીજા સેશનમાં ચર્ચા કરવા માટે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી હાજર રહ્યાં હતાં. આ ચર્ચામાં કોંગ્રેસ અને ભાજપના પ્રમુખે એકબીજા પર આકરા પ્રહાર કર્યા હતાં. જીતુ વાઘાણીએ હાર્દિક પટેલ પર પણ સીધો હુમલો કર્યો હતો.
3. સોશ્યલ મીડિયાઃ મહાચૂંટણી 2019નું મહાહથિયાર?
મહાપરિષદનું ત્રીજું સેશન આજના આધુનિક જમાનાનું મજબૂત બની રહેલું મીડિયા એટલે કે સોશ્યલ મીડિયા વિષય પર આધારિત હતું. જેમાં ખાસ કરીને સોશ્યલ મીડિયાને જ્યારે ચૂંટણીમાં હથિયાર તરીકે ઉપયોગ કરાય છે ત્યારે ચૂંટણીના માહોલમાં મતદાતાઓ તેમ જ ચૂંટણી પર કેવી અસર પડે છે તેના વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, ગુજરાત ભાજપના IT સેલના વડા પંકજ શુક્લા તેમજ વરિષ્ટ પત્રકાર મહેશ લાંગા હાજર રહ્યાં હતાં.
4. ઝિંદાબાદ ઝિંદાબાદઃ કોણ આબાદ, કોણ બરબાદ?
ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતે જોયેલા આંદોલન પર વિશેષ ચર્ચા આજની મહાપરિષદમાં ચોથા સેશનમાં રાખવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ તેમ જ પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યાં હતાં. આ સેશન ગરમાગરમ રહ્યું હતું જેમાં મુખ્યત્વે પાટીદાર આંદોલન અને યુવા રોજગારી મુદ્દે થયેલા આંદોલનમાં ગુજરાતે શું ગુમાવ્યું તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
5. પક્ષ જાય પણ પદ ન જાય
મહાપરિષદના પાંચમું સેશન હતું પક્ષપલટા વિષય પર. જેમાં ભાજપના નેતા તેમ જ પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ હાજર રહ્યાં હતાં. આ સમયે પક્ષપલટો કરતા નેતાઓની શું માનસિકતા હોય છે અને કયા પરિબળોને આધારે પાટલી બદલવામાં આવતી હોય છે તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
6. વાસ્તવિકતાના પોત પર લોકપ્રિયતાની ભાત
કૉન્કલેવના છઠ્ઠા સેશનમાં કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમ જ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની સાથે પત્રકાર નિર્ણય કપૂર હાજર રહ્યાં હતાં.
7. યુવા બેરોજગાર, કોણ જવાબદાર?
દિવસના અંતે મહાપરિષદમાં બેરોજગારીના મુદ્દાને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ અને વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી હાજર રહ્યાં હતાં. આ સેશનમાં નીતિનભાઈ પટેલ ખુલીને બોલ્યાં હતાં અને પોતાના આગવા અંદાજમાં જવાબો આપ્યા હતાં. ચર્ચામાં સમયાંતરે નીતિન પટેલા જવાબોથી હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.