દર વર્ષે વી એસ હોસ્પીટલનું કરોડોનુ બજેટ રજુ કરવામા આવે છે પણ દર્દીઓને મળતી સુવિધામા ખાસ કોઇ વધારો થતો નથી.મંગળવારે વાડીલાલ હોસ્પીટલુ વર્ષ 2020-21નુ 201 કરોડ બજેટ રજુ કરવામા આવ્યુ.સુપ્રીટેન્ડન્ટે રજુ કરેલા 200..85 કરોડ ના ડ્રાફ્ટ બજેટમા 44.15 લાખ નો સુધારા-વધારા સાથે મેયરે બજેટ રજુ કર્યુ હતુ. બજેટની જોગવાઇની વાત કરવામા આવે તો ચીનાઇ પ્રસૃતિગૃહમા અને ટ્રોમા સેન્ટર ખાતે બધાજ પ્રકરાના લેબ ટેસ્ટ -સોનોગ્રાફી કલર ડોપલર સાથે એન એસ ટી જેવા અધતન સાધનો સાથેનુ ઇનફ્રાસ્ટ્રકચર ઉભુ કરાશે. આ સાથે અન્ય મેડીકલ સાધનો ખરીદવાની જોગવાઇ કરવામા આવી છે.તો પોસ્ટમોર્ટમ વિભાગ અને કોલ્ડ સ્ટોરેજને અધતન કરાશે.
વીએસના બજેટ અંગે કેમ કરાય છે વિરોધ
વી એસના બેજટ અંગે ટ્રસ્ટીએ બજેટનો વિરોધ કર્યો હતો.તેમનુ કહેવુ હતુ કે જુની હોસ્પિટલમાથી ડોક્ટરોને નવી હોસેપ્ટલમા લઇ જવામા આવ્યા છે જે યોગ્ય નથી. જુની હોસ્પિટલમા કોન્ટ્રાક્ટ પર ડોક્ટરો-સ્ટાફ રાખવામા આવ્યો છે.બજેટમા સાધનો ખરીદવાની વાત કરાઇ છે પરંતુ હોસ્પિટલમા આવતા દર્દીઓને ઓછા કરી દીધા તેનુ શું નવી હોસ્પિટલની સારવાર ગરીબ દર્દીઓને પોસાય તેમ નથી. જુની હોસ્પિટલના 1200 બેડ રહેવા જોઇએ.હાલ વી એસ હોસ્પિટલ ખંડેર બની ગઇ છે.
સોલાર રૂફ ટોફ નાંખવાની જાહેરાત કરાઈ છે
ભુતકાળમા બજેટમા-હોસ્પીટલમા આવતા લોકોને વિવિધ વિભાગોની માહિતી મળી શકે તે માટે હોસ્પિટલ સંકુલમા સાઇનેજ બોર્ડ મુકવા ,વીજબીલના ધટાડા માટે સોલર રુફ ટોફ નાંખવા,ની જાહેરાત કરી હતી જે હજી કાગળ પર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડિલાલા સારાભાઇ હોસ્પિટલ ભૂતકાળમા તેની સારવાર માટે જાણીતી હતી પરંતુ હવે તે કૌભાંડને લઇ જાણીતી બની છે. છાસવારે કોઇને કોઇ મુદે ચર્ચામા રહે છે. દર વર્ષે કરોડોનુ બજેટ ફાળવામા આવે છે પણ દર્દીઓની સુવિધામા વધારો થતો નથી.