અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલનું નિર્માણ થયું છે ત્યારથી વિવાદ તેનો પીછો છોડતો નથી. હકીકતમાં VS હોસ્પિટલ બંધ કરીને SVPને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનાં આક્ષેપો થઈ રહ્યાં છે. ગરીબ દર્દીઓને VS કરતાં વધુ ખર્ચાળ SVP હોસ્પિટલમાં ફરજિયાત સારવાર લેવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે.
VS અને SVP હોસ્પિટલનાં વિવાદ શમવાનું નામ નથી લેતાં. આખી અમદાવાદનાં મેયર અને કમિશનર ખુદ મેદાનમાં આવ્યા અને ખુલાસો કરવા લાગ્યા. ગરીબ દર્દીઓને VS કરતાં વધુ ખર્ચાળ SVP હોસ્પિટલમાં ફરજિયાત સારવાર લેવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. તેમ છતાં તંત્ર તો ગરીબોને પરવડે તેવા ભાવે જ SVP હોસ્પિટલમાં સારવાર મળે છે. તેવાં દાવા કરી રહ્યું છે. પરંતુ હકીકતમાં આ ભાવ ખાનગી હોસ્પિટલના ખર્ચની ઘણો નજીક છે.
જ્યારથી અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલનું નિર્માણ થયું છે ત્યારથી વિવાદ તેનો પીછો છોડતો નથી. હકીકતમાં VS હોસ્પિટલ બંધ કરીને SVPને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનાં આક્ષેપો થઈ રહ્યાં છે. SVP હોસ્પિટલમાં દર્દીઓ પાસે પાંચ હજાર ડિપોઝીટ લેવા અંગે મેયર અને મ્યુનિસિપિલ કમિશ્નરે જણાવ્યું હતું કે, SVP અને VSમાં ખાનગી હોસ્પિટલ કરતા ઓછાં ભાવે દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
હવે તમે એ આંકડા પણ જાણો કે VS અને SVPમાં સારવારની રકમનો તફાવત શું છે. VS હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી સર્જરીનાં 4 હજાર રૂપિયા થતાં હતાં. જે SVP હોસ્પિટલમાં 6 હજાર રૂપિયામાં થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 9 હજાર થાય છે. બાયપાસ સર્જરીનાં VS હોસ્પિટલમાં 72 હજાર થતાં હતાં. જે SVP હોસ્પિટલમાં 90 હજાર રૂપિયામાં થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તેનો ખર્ચ દોઢ લાખ થાય છે.
ગરીબને ન પોંષાય તેવાં આ આંકડા ખુદ મેયરે મીડિયાને કહ્યાં છે. મેયર ખુદ કબૂલે છે કે VS કરતાં નવનિર્મીત SVP હોસ્પિટલમાં સારવાર મોંઘી બની છે. લગભગ ખાનગી હોસ્પિટલને લગોલગ પહોંચી ગઈ છે. ત્યારે ગરીબ દર્દીઓ ફાઈવ સ્ટાર SVP હોસ્પિટલમાં સારવાર કરવાનાં રૂપિયા ક્યાંથી લાવે. કદાચ મેયર પાસે આનો જવાબ નહીં હોય.
જો કે વિવાદ સાથે સાથે ડોકટરોનાં સ્થળાંતર થઈ રહ્યાં છે. ત્યારે SVP મામલે ખુલાસો કરતા અમદાવાદ મહાનગરપાલિકાનાં કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, ડોક્ટરોની ભરતી કરવામાં આવી છે. SVP અને VS એમ બંને હોસ્પિટલ માલિકી અમદાવાદ મહાનગરપાલિકાની જ છે.
ચાલો મેયરની વાત માની લઈએ કે VS હોસ્પિટલ બંધ નહીં થાય. પરંતુ VS હોસ્પિટલનાં એક પછી એક વિભાગો SVP હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યાં છે તે આખરે શું સૂચવે છે. તેનો જવાબ કદાચ મેયર પાસે નહીં હોય. કદાચ VS હોસ્પિટલનું ખરું ભવિષ્ય શું છે તે તંત્ર સિવાય કોઈ નથી જાણતું. ધીમે ધીમે VS હોસ્પિટલ એક સામાન્ય દવાખાના ફેરવાઈ રહી છે. લોકો તો ત્યાં કહી રહ્યાં છે કે આવનારા દિવસોમાં VS જેવી સસ્તી સારવાર ન મળવાને કારણે મરવાનાં કિસ્સા ન બને તો જ નવાઈ.