અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસમાં ગરમીમાં વધારો થશે, શહેરમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે તેમજ આગામી સમયમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે.
અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસમાં ગરમીમાં વધારો થશે. શહેરમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, આગામી સમયમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 42થી 45 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના કારણે શહેરીજનોને અતિશય ગરમીથી બચવા માટે ઘણા સુચનો આપ્યાં છે. ગરમીથી બચવા માટે છાશ ,પાણી અને અન્ય ઠંડા પ્રવાહીઓનું સેવન કરવાનું કહ્યું છે.બાળકો ,વૃધ્ધો , સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. ખૂબ પરસેવો થવો , ચકકર આવવા ,ચામડી લાલ થવી વગેરે જેવા લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવાનું કહ્યું છે .ઈમરજન્સી જેવું લાગે તો 108 નો સંપર્ક કરવાનું પણ કહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 મેના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાન મોદી 12 મેના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવશે.
દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાશે. જખૌના 200 કરોડ ડ્રગ્સ કેસમાં આજે બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરાશે.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ નલિયા કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે લોરેન્સને સાબરમતી જેલના હવાલે કર્યો છે. ATS દ્વારા લોરેન્સને બાય રોડ સાબરમતી જેલમાં લાવવામાં આવશે. આમ હવે અતીક બાદ વધુ એક મોટા ગેંગસ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે.
ગુજરાતમાં એક સમાચારે ભારે ચર્ચા જગાવી દીધી છે. અમુક સમાચાર માધ્યમોમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઈ ગઈ છે. આ સમાચાર પ્રકાશિત થયા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે વિરોધ પક્ષો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભાજપની સરકાર સામે કાયદો વ્યવસ્થા મામલે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, હવે ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારી છે. ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ 2016-2020માં ગુજરાતમાંથી 41,621 મહિલાઓ ગુમ થયેલ હતી.'
હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયેલ હતી.
GPSCની વધુ એક ભરતીનો મામલો ગુજરાત હોઈકોર્ટમાં પહોંચ્યો છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે અરજદારના પરિણામ સીલ કવરમાં રાખવાનો આદેશ કર્યો છે. આ મામલે 7 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગુજરાત ગૌણ સેવા મંડળની વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી માટેની પરીક્ષાને લઈને ગત 11 જાન્યુઆરીના રોજ પ્રોવિઝનલ અને 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. 11 જાન્યુઆરી અને 10 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલી આન્સર કીમાં વિસંગતા જોવા મળી હતી. જે બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર સરકારે રાજ્યના નાગરિકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે, રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં હવે વધુ સુવિધા મળશે. ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોજેક્ટ શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ ગ્રાન્ટની ફાળવણી કરી છે.આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 70 કરોડ રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી છે. સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસિનનો પ્રોજેક્ટ દોઢથી બે વર્ષમાં પૂર્ણ થશે જે અંગે CMની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ થતાં રેડિયો એક્ટિવ પદાર્થનુ ઉત્પાદન વધુ થઈ શકશે. 1 હજાર સ્ક્વેર મીટરમાં સાયક્લોટ્રોન બંકર બનાવવામાં આવશે તેમજ 1 હજાર સ્ક્વેર મીટરમાં યુટિલિટી બિલ્ડિંગનું નિર્માણ થશે.
સુપ્રીમ કોર્ટ મંગળવારના રોજ બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુનાવણી કરી શકી ન હતી. સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મુક્ત કરાયેલા દોષિતોમાંથી એકને હજુ સુધી કોર્ટ તરફથી ઔપચારિક નોટિસ મળી નથી કારણ કે તે ઘરે ઉપલબ્ધ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદારોએ ફરી એકવાર નોટિસ બજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે જો કોઈ સફળતા ન મળે તો એક ગુજરાતી અને એક અંગ્રેજી અખબારમાં જાહેર નોટિસ પ્રકાશિત કરવી જોઈએ, જેથી સુનાવણી ફરીથી મુલતવી ન રાખવી પડે. આગામી સુનાવણી 11 જુલાઈના રોજ થશે. અગાઉ, જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેંચ સમક્ષ એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું હતું કે ગુજરાત પોલીસે સહકાર આપ્યો હતો પરંતુ પોલીસના લાખ પ્રયાસો પછી પણ નોટિસ આપી શકાઈ નથી. જવાબ આપનાર ઘરે નથી, તેનો ફોન સ્વીચ ઓફ છે. સંબંધીઓ કહે છે કે તેઓને કંઈ ખબર નથી. આખી દુનિયા જાણે છે કે આ કેસ ચાલી રહ્યો છે.
એક તરફ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અનેક પગલાંઓ લઈ રહી છે. આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસ તંત્રને સતત પડકાર ફેકી રહ્યા હોય તેમ પોતાના કારનામાં સતત શરૂ રાખી રહ્યા છે. ગયા મહિને ગુજરાતભરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. છતાંય સ્થિતિ જેમની તેમ છે. વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો છે.વ્યાજખોરીના ત્રાસથી વડોદરાના ચેતનનું સારવાર દરમિયાન મોત થયો છે. સમગ્ર ઘટના આ રીતે છે કે, વ્યાજખોરોના ત્રાસને કારણે ચેતને ઝેરી દવા પીધી હતી અને જેની અસરથી સારવાર દરમિયાન મોત થયું છે. વિગતો મુજબ વ્યાજખોર ભરવાડ બ્રધર્સ માનસિક ત્રાસ આપતા હતા અને આરોપી સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ પર કેટલાક આરોપ પણ છે, ત્રણેય શખ્સો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામા આવી રહ્યાં છે.
કર્ણાટકમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની વાત કરીએ તો વર્તમાનમાં કર્ણાટક રાજ્યમાં 28 લોકસભાની બેઠક તેમજ 224 વિધાનસભાની બેઠક છે. 224 વિધાનસભાની બેઠકમાંથી 36 અનુસૂચિત જાતિ અને 15 અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ અને વિશ્વશ્વર હેગેડે કાગેરી કર્ણાટક વિધાનભાના અધ્યક્ષ છે.કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ 58282 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જેમાં 28866 શહેરી વિસ્તારોમાં છે. પાપ્ત આંકડા મુજબ મતદાતાઓની ઓસત સંખ્યા 833 છે. ચૂંટણી પંચે કહ્યું કે, સંવેદનશીલ બુથો વિશે વિગતો મેળવી ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણાટકમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં 9.17 લાખ નાગરિકો પહેલી વાર મત આપશે. તેમજ ચૂંટણીપંચ પહેલીવાર 80 વર્ષથી ઉપરની ઉમંરના લોકો માટે ઘરથી મત આપવા માટે વ્યવસ્થા કરવામા આવી છે. કર્ણાટકમાં 5.2 કરોડ મતદાતાઓમાંથી 9.17 લાખ મતદાતાઓ પહેલીવાર મત આપશે. વિધાનસભાની 224 બેઠકો માટે આજે એટલે કે, બુધવારે 10 મેંના રોજ મતદાન થશે તેમજ 13 મેના રોજ મતગણતરી થશે
ભારતીય હવામાન વિભાગે મોચા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત ખૂબ જ ગંભીર તોફાનમાં ફેરવાઈ શકે છે અને પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જોકે IMDએ હજુ સુધી લેન્ડફોલ લોકેશન વિશે માહિતી આપી નથી. IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીની સ્થિતિને જોતા આપણે કહી શકીએ કે તે મ્યાનમારના તટની દિશામાં આગળ વધી રહ્યું છે. નીચા દબાણથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં જ તેની ચોક્કસ સ્થિતિ જાણી શકાશે. અત્યારે સમુદ્રના મોટાભાગના ભાગોની આસપાસની સપાટીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બનવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.સોમવારે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાયું હતું. મોચા ચક્રવાત 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે. પશ્ચિમ બંગાળ પર મોચા ચક્રવાતની અસર બાંગ્લાદેશ તરફ આગળ વધી રહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આ વાવાઝોડું કેટલું દૂર રહેશે તેના પર નિર્ભર છે.
— India Meteorological Department (@Indiametdept) May 9, 2023
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સરોગેસી એક્ટની અનેક જોગવાઈઓને પડકારતી અરજીઓનો જવાબ દાખલ કર્યો છે. જેમાં કેન્દ્રે લિવ-ઈન કપલ અને સમલૈંગિક કપલને સરોગેસી એક્ટ હેઠળ લાવવાનો વિરોધ દર્શાવ્યો છે. કેન્દ્રે કહ્યું કે તેમને સેરોગેસી કાયદા હેઠળ સેવાઓનો લાભ ઊઠાવવાની અનુમતિ ન આપી શકાય. આ મામલામાં કેન્દ્ર સરકારે એફિડેવિટ જમા કરાવી છે. સરકારે SCને જણાવ્યું કે 19 જાન્યુઆરીનાં થયેલી રાષ્ટ્રીય બોર્ડનાં વિશેષજ્ઞ સદસ્યોની બેઠકમાં સલાહ આપવામાં આવી હતી કે અધિનિયમ એસ અંતર્ગત વ્યાખ્યાયિત યુગલની વ્યાખ્યા સાચી જ છે અને SAMESEX કપલ અને લિવ-ઈન પાર્ટનર્સને સેરોગેસી કાયદા અંતર્ગત પરવાનગી ન આપી શકાય.
Inclusion of live-in couples and queer couples within the ambit of the Surrogacy Act would open the scope of ‘misuse’ of such facilities and it would be difficult to ensure the best future for the child born through surrogacy, the Centre has told the Supreme Court.
Read more:… pic.twitter.com/x3VKomxYGk
'ધ કેરલા સ્ટોરી' ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીન કોર્ટ પહોંચી ગયો છે. કેરલ હાઈ કોર્ટના ફિલ્મ પર બેન લગાવવાના ઈનકાર વિરૂદ્ધ હવે અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ મામલામાં સુનાવણી કરવામાં આવે. તેના પર ચીફ જસ્ટિસે 15 મેએ સુનાવણીની વાત કહી છે. જણાવી દઈએ કે કેરલ હાઈ કોર્ટે 5મે એ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના રિલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ખાસ સમુદાયના વિરૂદ્ધ કંઈ પણ આપત્તિજનક નથી. કોર્ટે આદેશ જાહેર કરતા પહેલા ફિલ્મનું ટ્રોલર જોયું. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસલમાનોના વિરૂદ્ધ કંઈ પણ નથી. પશ્ચિમ બંગાળ સરકારની તરફથી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર બેન લગાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ફિલ્મ મેકર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી બંગાળ સરકારની તરફથી લાગેલી રોક હટાવવા અને તમિલનાડુ સરકારથી રાજ્યના સિનેમાઘરોને સુરક્ષા આપવા માટે આદેશ આપવાની માંગ કરી છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાનને એક મોટો ઝટકો આપતાં સેના દ્વારા કરાયેલી તેમની ધરપકડને માન્ય રાખી છે. બપોરે સેનાએ કોર્ટની બહારથી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. જે પછી તેઓ જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યાં હતા. જ્યાં રાતના 10.45ની આસપાસ હાઈકોર્ટે સુનાવણી કરતાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમની ધરપકડને માન્ય ગણાવી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે ઈમરાન ખાન નહીં છૂટી શકે.ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ગૃહ સચિવ અને આઈજી ઈસ્લામાબાદને કોર્ટની અવગણનાની નોટિસ જારી કરવામાં આવી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અમીર ફારુકે ફવાદ ચૌધરી, સૈફુલ્લા નિયાઝી, ફૈઝલ ચૌધરી, નઈમ હૈદર, અલી બુખારીની ધરપકડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ યોગ્ય છે. કોર્ટે પાક રેન્જર્સની કાર્યવાહિને યોગ્ય ઠેરવી છે.