આસામમાં હવે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)માંથી બહાર કરાયેલા લોકોને પણ ચૂંટણી પંચે મતદાન કરવાનો અધિકાર આપ્યો છે. જો કે NRC યાદીમાંથી બહાર રખાયેલા લોકોને મતદાનનો અધિકાર ત્યાં સુધી હશે જ્યાં સુધી નાગરિક ટ્રિબ્યુનલ તેમના વિરુધ્ધ કોઇ નિર્ણય ન કરે.
ચૂંટણી પંચે NRCમાંથી બહાર લોકોને મતદાનનો આપ્યો અધિકાર
ટ્રિબ્યૂનલનો નિર્ણય ન આવે ત્યાં સુધી મળશે મતદાનનો અધિકાર
ચૂંટણી પંચ મુજબ નાગરિક ટ્રિબ્યુનલનો નિર્ણય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મતદાન યાદીમાં રહેતા બધા મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે NRCની ફાઇનલ યાદી બહાર પાડી દેવામાં આવી છે. આ યાદીમાં અંદાજે 12 લાખ લોકોના નામ સામેલ છે.
31 ઓગસ્ટે જાહેર કરવામાં આવી હતી યાદી
આસામમાં 31 ઓગસ્ટે NRCની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અંદાજે 19 લાખ લોકોના નામ સામેલ નહોતા. જે લોકોના નામ NRCની ફાઇનલ યાદીમાં આવ્યા નહોતા તે લોકોએ તેના વિરુધ્ધ નાગરિક ટ્રિબ્યુનલમાં પહોંચ્યાં હતા. જેના પર હાલ સુનાવણી કરવામાં આવી રહી છે.
શું મમતા બેનર્જીના રાજ્યમાં લાગશે NRC?
NRCને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત વિરોધ કરી રહ્યાં છે. મમતા બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં NRC લાગુ કરવામાં આવશે નહીં. જે અહીનાં સ્થાયી નિવાસી છે, તેમને કોઇ બહાર નહી કાઢી શકે.