જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિસ્કાર કર્યો હતો. ત્રણ હજાર ઉપરાંતનું મતદાન ધરાવતા ગામમાં સાંજ સુધી એક પણ મત ન પડ્યો હતો. પાક વીમા અને જમીન સર્વેમાં ક્ષતિઓની સમસ્યાનો ઉકેલ નહિ આવતા. ગ્રામજનોએ લોકશાહી માટે કલંક ગણી સકાય તેવું પગલું ભર્યું. ગ્રામજનોએ પણ આ બાબતને સારી ન ગણાવી પણ સરકારે ફરજ પાડી હોવાનો ભાવ દર્શાવ્યો.
જામનગર જીલ્લાના અછતગ્રસ્ત લાલપુર તાલુકામાં ખેડૂતો રોષે ભરાયા છે. એક માસથી તાલુકાભરના ખેડૂતો તંત્ર સામે આંદોલન ચલાવી રહ્યા છે. પાક વીમા બાબતે થયેલ અન્યાયને લઈને રોષ જીલ્લા સુધી પહોચ્યો. છતાં પણ વહીવટી તંત્ર કે જન પ્રતિનિધીઓએ જવાબ ન વાળ્યો.
આખરે ભણગોર ગ્રામજનોએ મતદાનનો બહિસ્કાર કર્યો. સ્થાનિક તંત્ર, પોલીસ સહિતનાઓએ સમાધાનનો પ્રયાસ કર્યો પણ ગ્રામજનો પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા.
જામનગર લોકસભા બેઠક પરના લાલપુર તાલુકાના ભણગોર ગ્રામજનોએ દર્શાવી મતદાનનો બહિસ્કાર કર્યો. 3344 મતદારો ધરાવતા આ ગામના લોકોએ સરકાર અને જન પ્રતિનીધીઓના કારણે આ મુસીબત આવી હોવાનો ભાવ દર્શાવી. પાક વીમા બાબતે થયેલ અન્યાય બાબતે તર્ક બદ્ધ દલીલો કરી વિરોધ વ્યક્ત કર્યો.