મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવામાં યુવાનોમાં નીરસતા જોવા મળી છે. બીજી તરફ ચૂંટણી જીતવા એક એક મત માટે આકાશ - પાતાળ એક કરતા રાજકીય પક્ષો પણ ચૂંટણીપંચને મદદ કરવામાં ઉણા ઉતર્યા છે
રાજકીય પક્ષોમાં પણ જોવા મળી નિરસતા
મતદારયાદી સુધારણા કાર્યક્રમને મોળો પ્રતિસાદ
યુવાનોને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઓછો રસ
ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી માટે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરતું મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવામાં યુવાનોમાં નીરસતા જોવા મળી છે. બીજી તરફ ચૂંટણી જીતવા એક એક મત માટે આકાશ - પાતાળ એક કરતા રાજકીય પક્ષો પણ ચૂંટણીપંચને મદદ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું આંકડા દર્શાવી રહ્યા છે અગાઉની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અમદાવાદની 21 વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીપંચના 2 લાખ 90 હજાર 511 નવા મતદારો નોંધવાના અંદાઝ સામે હજુ માત્ર 15 હજાર મતદારો જ નોંધાયા છે. હજુ પણ 2 લાખ 75 હજાર જેટલા મતદારો નોંધવાના બાકી છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમને મોળો પ્રતિસાદ
સોશ્યલ મીડિયામાં એક્ટિવ રેહનારા યુવાનોમાં મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં નીરસતા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે તો બીજી તરફ એક એક મત મેળવવા દોડાદોડી કરનારા રાજકીય પક્ષોમાં પણ યુવાનોની નોંધણી થાય તે માટે નીરસતા જોવા મળી છે. ચૂંટણીપંચ દ્વારા દરેક રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે બુથ લેવલ એજન્ટ નીમીને તેની યાદી આપવા જણાવ્યું હતું. અમદાવાદમાં 5580 બુથ છે તે મુજબ તેમ છતાં ભાજપે 3594, કોંગ્રેસે 1780 અને એનસીપીએ માત્ર 229 બુથ લેવલ એજન્ટની નિમણૂક કરી ચૂંટણીપંચ દ્વારા એક બુથ લેવલ એજન્ટને 30 ફોર્મ રજૂ કરવાની છૂટ આપવામાં આવી છે જેથી વધુમાં વધુ નવા મતદારો યાદીમાં સામેલ થાય. પરંતુ તેવું ન થતાં હાલ પણ 2 લાખ 75 હજાર જેટલા યુવાઓની નોંધણી નથી થઈ શકી.
યુવાનોને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઓછો રસ
જો કે સમગ્ર મામલે અમદાવાદ શહેરના કાર્યકારી પ્રમુખ ચેતન રાવલે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોને જવાબદારી અપાઈ છે બૂથ વાઈસ સયોજકોની નિમણુક પણ કરાઈ છે. સાથે જ ચેતન રાવલે કહ્યું ક યુવાનો શા માટે મતદાર યાદીમાં નામ નોંધણી નથી કરવતા તે ચિંતાનો વિષય છે. તો સાથે જ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું ક યુવાનોને સીસ્ટમ પ્રત્ય ભરોષો ઉઠી ગયો છે જો કે યુવાનો ઓછી સંખ્યામાં મતદાર યાદીમાં નામ નોંધાવી રહ્યા છે જેની ગંભીર નોંધ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લીધી અને ત્યાર બાદ તાત્કાલિક કામે લાગવા આદેશ છુટ્યા અને તમામને ચૂંટણી પંચ સાથે ભાજપ હાઇકમાન્ડે મતદાર યાદીમાં યુવાનો વધુ પ્રમાણમાં જોડાય તે પ્રમાણે કામે લાગવા આદેશ અપાય ત્યારે હાલ ભાજપ પણ બુથ દીઠ હવે કામે લાગ્યું છે. હાલ તો સભ્ય નોંધણી કાર્યક્રમમાં યુવાનોની નીરસતા ઉડીને આંખે વળગી રહી છે. ત્યારે આજના યુવાને ખરેખર જાગૃત થવાની જરૂર છે. કારણ કે જો તે મતદાર નહી હોય તો પોતાની સાથે થનાર અન્યાય નો જવાબ કઈ રીતે આપશે.