આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડને જોડવા માટે હવે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આ માટે સંસદમાં જાણકારી આપી છે. તેઓએ જાણકારી લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપી હતી. હાલમાં આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, પાન કાર્ડ, રાશન કાર્ડ, ગેસ સબ્સિડી સહિતની અનેક સરકારી સ્કીમની સાથે લિંક કરવું જરૂરી છે. સરકારે પહેલાં જ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સરકારી સ્કીમનો લાભ લે છે તો તેણે આધાર કાર્ડની સાથે લિંક કરાવવાની રહેશે.
Aadhaar ને લઈને સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે જોડી શકાય છે
અગાઉ આ ચીજો સાથે આધાર લિંક કરવું હતું ફરજિયાત
સંસદમાં આધારકાર્ડ અને મતદાર ઓળખકાર્ડ વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના વિશે સરકારે જવાબ આપ્યો હતો. પ્રથમ પ્રશ્ન એ હતો કે શું ભારતના ચૂંટણી પંચે સરકારને આધારકાર્ડ અને મતદાર ઓળખકાર્ડ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો? જો આ સ્થિતિ છે તો શું સરકાર તેના પર વિચાર કરી રહી છે કે નહીં. શું સરકાર આવા પગલાં લેતી વખતે નાગરિકોના વ્યક્તિગત ડેટાને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવશે તે અંગે વિચારણા કરી રહી છે. લોકસભામાં એક સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે મતદારોની વિશ્વસનીયતા અને પુનરાવર્તન ટાળવા માટે શું કરવામાં આવી રહ્યું છે?
રવિશંકર પ્રસાદે સંસદના સવાલોના આપ્યા આ જવાબ
લોકસભામાં પ્રશ્નોત્તરીના સમયે પૂછાયેલા આ પ્રશ્નના જવાબમાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો કે કોઈ પણ સમસ્યાથી ફ્રી ઈલેક્ટોરલ રોલ અને આવેદનના ડુપ્લીકેશનથી બચવા માટે સરકાર સામે 1951ના સંશોધનનો પ્રસ્તાવ આવ્યો છે. આ સંશોધન પછી આધાર કાર્ડને ઈલેક્ટોરલ ડેટાની સાથે લિંક કરી દેવામાં આવશે. ચૂંટણી પંચની આ દરખાસ્ત પર વિચાર કરી રહી છે.
હાલ સુધીમાં 30 કરોડથી પણ વધારે પાન કાર્ડ લિંક થઈ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે. આ વિશે કેન્દ્ર સરકારે હાલમાં જ જાણકારી આપી છે કે 27 જાન્યુઆરી 2020 સુધી 30 કરોડ 2 હજાર 824 લોકોએ પાન અને આધાર લિંકિંગની પ્રક્રિયાને પૂરી કરી છે. કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જાણકારી આપી છે પાન કાર્ડને આધાર સાથે જોડવાનો હેતુ ડુપ્લીકેટ પાનને તપાસીને સાચાની ઓળખ કરવાનો છે. સંસદને જ્ણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝે આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ 2020 કરી છે. આ પહેલાં આ તારીખ 31 ડિસેમ્બર 2019ની હતી.
85 ટકા બેંક એકાઉન્ટ પણ છે આધારથી લિંક
અન્ય એક સવાલના જવાબમાં તેઓએ સંસદને જણાવ્યું કે 24 જાન્યુઆરી 2020 સુધી 85 ટકા સેવિંગ અને કરંટ બેંક ખાતાને આધાર સાથે લિંક કરી દેવાયા છે. સાથે જ 31 ડિસેમ્બર 2019 સુધી જાહેર કરાયેલા આંકડા અનુસાર 59.15 કરોડ રુપે કાર્ડ બેંકોએ જાહેર કર્યા છે.