ગુજરાત વિધાનસભાની છ બેઠક માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં કોંગ્રેસ બાજી મારી હતી. કોંગ્રેસે થરાદ અને બાયડ અને રાધનપુર બેઠક જીતી લીધી છે. . ભાજપમાં આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર પણ હાર્યા છે.
3 બેઠક ઉપર ભાજપ 3 ઉપર કોંગ્રેસની જીત
કોંગ્રેસને એક વધારાની થરાદ બેઠક મળી
અપક્ષનો સફાયો
બેઠક
ઉમેદવાર
પરિણામ
પક્ષ
રાધનપુર
રઘુ દેસાઈ
જીત
કોંગ્રેસ
બાયડ
જશુ પટેલ
જીત
કોંગ્રેસ
થરાદ
ગુલાબસિંહ રાજપૂત
જીત
કોંગ્રેસ
ખેરાલુ
અજમલ ઠાકોર
જીત
ભાજપ
અમરાઈવાડી
જગદીશ પટેલ
જીત
ભાજપ
લુણાવાડા
જિગ્નેશ સેવક
જીત
ભાજપ
આજે આવેલા પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે થોડા નિરાશાજનક હતા તો કોંગ્રેસ માટે ફરી ગુજરાતમાં હજુ સત્તા ટકાવી શકાય તેવી આશાવાળા હતા. રાધનપુર બેઠકથી ભાજપના ઉમેદવાર અને આયાતી નેતા અલ્પેશ ઠાકોરની હાર થઈ છે. આ સાથે જ કોંગ્રેસે 3 બેઠકો ઉપર કબજો જમાવ્યો છે.
બાયડમાં ધવલસિંહની હાર
બાયડમાં ભાજપના ઉમેદવાર ધવસસિંહ હાર્યા, અને કોંગેસના ઉમેદવાર જશુભાઈ પટેલ જીત્યા. ઠાકોર પટેલ કોમ્યુનીટીમાં પાટીદાર જીત્યા, 370, કે કોઈ નેશનલ મુદ્દા નહી પરંતુ લોકલ ઉમેદવાર જીત્યા. આયાતી ઉમેદવાર હાર્યા. મતગણતરીના 23માં રાઉન્ડ બાદ ધવલસિંહ 730 મતથી થી હાર્યા છે. પણ ફેરમતદાન ગણતરી માટે ઈલેકશન ઓફિસરને અરજી કરી છે.
થરાદ બેઠક પર કોંગ્રેસ જીત્યું
પરબત પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી થરાદ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. ચૌધરીઓના વર્ચસ્વ વાળી બેઠક ચૌધરીઓ હારી ગયા છે. અને રાજપૂતના ફાળે ગઈ છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ(ચૌધરી) હારી ગયા છે. જ્યારે કોંગી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જીત્યા છે.
થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવારની 6424 મતથી જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલની સામે ગુલાબસિંહની જીત થઈ છે. આ જીતને ગુલાબસિંહે પ્રજાની જીત ગણાવી હતી.
ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી
ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. તેણે જણાવ્યુ હતુ કે, જે પ્રમાણેનું મતદાન થયુ છે તેનાથી હું ખુશ છું, હારજીતનો ફાસલો 200થી 500 મતનો રહેશે. મતદાતાઓએ મને ખરેખર ખોબલેને ખોબલે પ્રેમ આપ્યો છે. હું મારી હાર સ્વીકારુ છું.
મારી જવાબદારી મેં નિભાવીઃ નીતિન પટેલ
ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ચૂંટણી પરિણામ માટે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, મને જે બેઠકની જવાબદારી આપવામાં આવી હતી તે મેં નીભાવી છે અને અમે ત્યાં જીતી ગયા છીએ. ખેરાલુની બેઠક ઉપરથી અમે જીત્યા છીએ.
ખેરાલુ બેઠક ઉપરથી ભાજપના અજમલસિંહ ઠાકોરનો 9363 મતથી જીત મેળવી છે. લુણાવડામાં ભાજપ આગળ છે. રાધનપુરમાં કોંગ્રેસ આગળ છે. અમરાઈવાડીમાં ભાજપ કોંગ્રેસની ટક્કર થઈ રહી છે. થરાદમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યુ છે.