બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 PM, 18 March 2025
કપિલ દેવે BCCI ના પરિવાર શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો. તે પછી, દિલ્હી કેપિટલ્સના બોલર મોહિત શર્માએ પણ કહ્યું હતું કે પરિવાર સાથે રહેવામાં શું સમસ્યા છે? હવે બીસીસીઆઈ પર દબાણ વધવા લાગ્યું છે કારણ કે દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ પણ આ મામલામાં સામેલ થયા છે. ફક્ત IPL 2025 માટે લાગુ પડતા નિયમ વિશે વાત કરીએ તો, પ્રેક્ટિસ સેશન અથવા મેચ દરમિયાન પરિવારના સભ્યોને ટીમના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો પરિવારના સભ્યો મેચ જોવા માંગતા હોય, તો તેઓ હોસ્પિટાલિટી બોક્સમાં બેસીને તેમ કરી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મોટા સમાચાર : હવે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચ-ગૃહ મંત્રાલયની બેઠકમાં નિર્ણય
તાજેતરમાં, વિરાટે કહ્યું હતું કે જ્યારે કોઈ ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે પરિવારની હાજરી તેને ફરીથી સારું અનુભવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે કોઈ પણ ખેલાડી ખરાબ સમયમાં એકલા રહેવા અને દુઃખ સહન કરવા માંગતો નથી. વિરાટે એમ પણ કહ્યું કે પરિવારની હાજરી જવાબદારીઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. હવે જાણો કપિલ દેવે આ મુદ્દે વિરાટના સમર્થનમાં શું કહ્યું છે?
ADVERTISEMENT
કપિલ દેવનો ટેકો મળ્યો
ગોલ્ફ ટુર્નામેન્ટની ટ્રોફીનુ ઓપનિંગ કરતી વખતે કપિલ દેવે કહ્યું કે ખેલાડીઓને તેમના પરિવારનો ટેકો મળવો જોઈએ. તેમણે કહ્યું, "આ નિયમ બનાવવાનો નિર્ણય બોર્ડનો છે. જ્યાં સુધી મને લાગે છે, ખેલાડીઓને તેમના પરિવારનો સાથ જોઈએ છે, પરંતુ તમને ટીમનો ટેકો પણ જોઈએ છે. અમે અમારા સમયમાં કહેતા હતા કે મને પહેલા હાલ્ફમાં ક્રિકેટ રમવા દો, પરંતુ બીજા હાલ્ફમાં પરિવારોએ પણ અહીં આવીને આનંદ માણવો જોઈએ. અહીં મિશ્રણ જોવું જોઈએ."
વિરાટ કોહલી વિશે વાત કરતાં , તાજેતરના RCB અનબોક્સિંગ ઇવેન્ટ દરમિયાન, તેમણે બેંગ્લોર ટીમના નવા કેપ્ટન રજત પાટીદારની પ્રશંસા કરી. તમને જણાવી દઈએ કે RCBનો પહેલો મુકાબલો 22 માર્ચે KKR સામે થશે, જે IPL 2025 સીઝનનો પહેલો મુકાબલો પણ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.