સરકારની બાકી રહેલી રકમ ચૂકવવામાં વિફળ રહેવાના કારણે ડૂબવા પર પહોંચી ચૂકેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. ભારે નાણાંકીય સંકટમાંથી પસાર થઇ રહેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાના શેરમાં 48 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં આવેલી આ તેજીના સમાચાર આવ્યા બાદ કહેવામાં આવ્યું કે સરકાર હાલ કંપનીની બેંક ગેરંટી રીડીમ (Redeem) કરશે નહીં.
મંગળવારે કંપનીના અધિકારીઓએ કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌવા સાથે મુલાકાત કરી કંપનીની દયનીય પરિસ્થિતથી વાકેફ કર્યાં હતા. વોડાફોન-આઇડિયાના શેર BSE પર 48.18 ટકા ઉછળીને 4.49 રૂપિયાના સ્તરે જોવા મળ્યાં હતા.
મંગળવારે પહેલા રાઉન્ડની બેઠક પર યોજાઇ
એક અધિકારીના હવાલેથી જણાવ્યું હતું કે પહેલા રાઉન્ડની બેઠક મંગળવારે યોજાઇ હતી. સરકાર કંપની પર બીજી બાકી રકમ વસૂલી રોકવા પર વિચાર કરી શકે છે, જેના કારણે AGR ભંડોળ એકત્રિત કરવા સક્ષમ બનશે. અધિકારીએ કહ્યું કે જેને કારણે બેંક ગેરંટીથી છૂટકારો મળશે.
બિરલા સાથે પણ કરી મુલાકાત
એક અન્ય ઘટનાક્રમમાં વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કંપનીઓ પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે મંગળવારે ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ બિરલાએ કહ્યું કે આ સમયે તેઓ કાંઇ કહી શકે તેમ નથી. અંદાજે એક કલાક સુધી ટેલિકોમ સેક્રટરી સાથે ચાલેલી બેઠકના સમયે બિરલાની સાથે કંપનીના એમડી તેમજ CEO રવિન્દ્ર ટક્કર પણ ઉપસ્થિત હતા.
એરટેલના શેરમાં પણ ઉછાળો
બીજી તરફ ભારતી એરટલેના શેરમાં પણ 0.25 ટકા ઉછળો જોવા મળ્યો હતો. જે કિંમત 549 રૂપિયા પર પહોંચેલો જોવા મળ્યો. એરટેલે સોમવારના રોજ દૂરસંચાર વિભાગને AGR હેઠળ 10,000 કરોડ રૂપિયાની બાકી લેણી રકમ ચૂકવી દીધી અને કહ્યું કે બાકીની રકમ તેઓ 17 માર્ચે કોર્ટમાં આ મામલાની સુનાવણી પહેલા ચૂકવી દેશે.