Vi કંપનીએ પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યો છે જેમાં કંપની 13 કલાકો સુધી સર્વિસ બંધ રહેવાનું એલાન કરી રહી છે.
Vi કંપનીનાં ગ્રાહકો માટે અગત્યના સમાચાર
પ્રીપેડ સર્વિસ 13 કલાલ સુધી બંધ રહેશે
22 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાથી બંધ કરવામાં આવશે
દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન- આઈડિયાનાં ગ્રાહકો માટે મોટી ખબર છે. કંપની પહેલી પણ વધુ ભારે દેવાનો સામનો કરી રહી છે. હવે કંપનીએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કંપની પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવી રહી છે કે તેમની પ્રીપેડ સર્વિસ 13 કલાલ સુધી બંધ રહેશે. આ સર્વિસ રાત્રે 8 વાગ્યાથી બંધ થશે જે દરમિયાન ગ્રાહકો ફોનનો રિચાર્જ નહીં કરી શકે.
13 કલાકો સુધી બંધ રહેશે સર્વિસ
કંપની પોતાના તમામ પ્રીપેડ ગ્રાહકોને આ મેસેજ મોકલી રહી છે જેમાં લખ્યું છે કે પ્રીપેડ રિચાર્જ સુવિધા 22 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાથી બંધ કરવામાં આવશે. આ સર્વિસ 13 કલાકો માટે બંધ રહેશે અને બીજો દિવસ એટલે કે 23 જાન્યુઆરીનાં સવારે 9:30 વાગ્યે શરૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સને આ મેસેજ તેમના મોબાઈલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં મોકલ્યાં છે. કંપની ઈચ્છે છે કે આ દરમિયાન એકપણ ગ્રાહકને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
મંદીનો સામનો કરી રહી છે કંપની?
વોડાફોન -આઈડીયા ભારે દેવાનાં બોજમાં ડૂબી રહી છે. કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. એટલું જ નહીં કંપની પોતાના લાયસેન્સ ફીઝ ચૂકવવામાં પણ અસફળ રહી છે. કંપનીને લાયસેન્સ ફીઝનાં 780 કરોડ રૂપિયા ચૂકવવાનાં બતાં પરંતુ વોડાફોન-આઈડિયા માત્ર 78 કરોડ રૂપિયાની જ ચૂકવણી કરી શકી છે.