ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા વધુને વધુ સુવિધાઓ આપી રહી છે. જેમાં વોડાફોન પણ પાછળ નથી. વોડાફોન તેના રિચાર્જમાં જબરદસ્ત ફાયદો આપી રહ્યું છે. ચાલો જાણીએ.
વોડાફોનના ગ્રાહકો માટે સારાં સમાચાર
હવે વોડાફોન તેના રિચાર્જમાં આપી રહ્યું છે હેલ્થ ઈન્શ્યોરન્સ
ગ્રાહકોને મળશે જબરદસ્ત ફાયદો
ટેલિકોમ કંપનીએ સામાન્ય યૂઝર્સને વીમો આપવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ (Aditya Birla Health Insurance) કંપની સાથે કરાર કર્યો છે. એટલે કે બે રિચાર્જ પ્લાનની સાથે આદિત્ય બિરલા વીમો ઉપલબ્ધ કરાવશે. Vi Hospicare હેઠળ 51 રૂપિયા અને 301 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા મળીશે. આ બે પ્લાનમાં યૂઝર્સને 1000 રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. આ 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવા માટે વેલિડ હશે.
51 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 500 SMS ફ્રી આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં કોલિંગ અને ડેટા મળતું નથી. આ પ્લાનમાં પણ રેગ્યુલર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પર રોજ 1000 સુધી અને આઈસીયૂમાં એડમિટ થવા પર લિમિટ વધારીને 2000 સુધી કરી દેવાઈ છે.
301 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સ રોજ 100 એસએમએસ કરી શકે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં પણ રેગ્યુલર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પર રોજ 1000 સુધી અને આઈસીયૂમાં એડમિટ થવા પર લિમિટ વધારીને 2000 સુધી કરી દેવાઈ છે. આ સ્કીમનો લાભ 18થી 55 વર્ષની વ્યક્તિઓને મળશે. સાથે જ આ લોકોને કોઈ ગંભીર બીમારી હોવી જોઈએ નહીં.