વોડાફોન-આઇડિયાને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR)ની ચૂકવણી ન કરી શકવાને કારણે જો ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરવો પડ્યો તો 10,000 લોકોની નોકરીઓ જઇ શકે છે. કંપનીના વકીલ મુકુલ રોહતગીએ આ ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટે તાત્કાલિક AGR ચૂકવણી જમા કરાવવા કહ્યું છે
ટેલીકોમ કંપનીઓની લગભગ 1.47 લાખ કરોડની ચૂકવણી બાકી છે
વોડાફોન-આઇડિયા બંધ થઇ તો હજારો નોકરીઓ જઇ શકે છે
વોડાફોન-આઇડિયાએ સોમવારે 2500 કરોડ રૂપિયાની એજીઆરની ચૂકવણી કરી છે. કંપનીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે દૂરસંચાર વિભાગ તેની વિરુદ્ધ બેન્ક ગેરન્ટી જપ્ત કરવા જેવી કાર્યવાહી ન કરે કેમકે તેના કારણે કંપનીના સંચાલનને નુકશાન થશે.
મુકુલ રોહતગીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, જો વોડાફોન-આઇડિયાને ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરવો પડ્યો તો તેના કારણે 10,000 લોકો બેરોજગાર થઇ જશે અને તેના 30 કરોડથી વધારે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ખતમ થઇ જશે પ્રતિસ્પર્ધા
તેઓએ આગળ કહ્યું કે તેની આખા ટેલીકોમ સેક્ટર પર અસર પડશે. તેના કારણે પ્રતિ સ્પર્ધા ખતમ થઇ જશે અને બજારમાં માત્ર બે કંપનીઓ રહી જશે. રોહતગીએ કહ્યું કે વોડાફોન-આઇડિયાની બાકી ચૂકવણી માત્ર 7,000 કરોડ રૂપિયા છે અને વ્યાજ, દંડ, દંડ પર વ્યાજ વગેરે જોડીને જોવામાં આવે તો આ રકમ 23,000થી 25,000 કરોડ રૂપિયા થાય છે. રોહતગીએ ચેતવણી આપતા કહ્યું કે, સરકાર બેન્ક ગેરન્ટી જપ્ત કરીને પડતા પર પાટુ ન મારે. નહીં તો કંપની કાલે જ બંધ થઇ જશે.
ટેલીકોમ કંપનીઓ કરી આટલી ચૂકવણી
વોડાફોન-આઇડિયાએ સોમવારે 2500 કરોડ રૂપિયાની એજીઆર ચૂકવણી કરી છે. ભારતી એરટેલ (Airtel) એ પણ એજીઆર રૂપે દૂરસંચાર વિભાગે 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ચૂકી છે. ટેલીકોમ કંપનીએ આ ચૂકવણી ભારતી એરટેલ, ભારતી હેક્સાકૉમ અને ટેલીનૉર તરફથી કરી છે.
કંપની દ્વારા દૂરસંચારને મોકલાયેલા પત્રમાં કહેવામાં આવ્યું કે કંપની કુલ એજીઆર ચૂકવણીનું આકારણી કરી રહી છે અને આકારણી પૂર્ણ થયા બાદ ચૂકવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ ટેલીકોમ કંપનીઓને દૂરસંચાર વિભાગને લગભગ 1.47 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે.