વોડાફોન-આઈડિયાના કસ્ટમર્સ અને રિટેલરની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવા અને ટચ ફ્રી રિચાર્જ પ્રોસેસ કરવા માટે કંપનીએ એક વોઈસ બેસ્ડ રિચાર્જ ફેસિલિટી શરૂ કરી છે. જેનો ઉપયોગ રિટેલ આઉટલેટ્સ પર કરવામાં આવશે. સામાન્ય રીતે લોકો એપ દ્વારા ઓનલાઈન રિચાર્જ કરાવે છે. જોકે, કેટલાક લોકો હજી પણ રિચાર્જ કરાવવા માટે રિટેલ આઉટલેટ્સનો ઉપયોગ કરે છે.
વોડાફોનના ગ્રાહકો માટે આવ્યા સારાં સમાચાર
હવે મોબાઈલમાં રિચાર્જ કરાવવા માટે મળશે આ ફેસિલિટી
કોરોના સામે લડવા કંપનીએ આ સુવિધા શરૂ કરી
આ ફીચર વોડાફોન આઈડિયાના સ્માર્ટ કનેક્ટ રિટેલર એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે ગ્રાહક અથવા રિટેલર ગૂગલ વોઈસ-ઈનેબલ્ડ ડિવાઈસને 10 ડિજિટનો મોબાઈલ નંબર બોલીને બતાવી શકાય છે. આ ડિવાઈસ 10 ફૂટના અંતરેથી પણ કમાન્ડ કેપ્ચર કરી લેશે.
હકીકતમાં અત્યાર સુધી એવું થતું હતું કે, જ્યારે પણ કોઈ વોડાફોન અથવા આઈડિયાનો ગ્રાહક રિચાર્જ કરાવવા માટે રિટેલ આઉટલેટ પર જતા હતા. ત્યારે રિટેલર દ્વારા સ્માર્ટ કનેક્ટ રિટેલર એપ ઓપન કરી એક ફોન ગ્રાહકોને આપવામાં આવતો હતો, જે બાદ ગ્રાહક તેનો મોબાઈલ નંબર તેમાં એન્ટર કરતો હતો.
પરંતુ હવે વોઈસ બેસ્ડ કોન્ટેક્ટલેસ રિચાર્જ ઓપ્શનની સાથે ગ્રાહક 10 ડિજિટનો તેનો મોબાઈલ નંબર બોલી શકે છે જે ગૂગલ વોઈસ અસિસ્ટેન્ટ દ્વારા કેપ્ચર કરી લેવામાં આવશે. કંપનીએ જાણકારી આપી છે કે, હાલ આ વોઈસ બેસ્ડ ફીચર હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે અને ટૂંક સમયમાં અન્ય ભાષાઓમાં પણ આ ફીચર એડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઓરેન્જ અને ગ્રીન ઝોન્સમાં રિટેલ આઉટલેટ્સ ઓપન કરવાની પરમિશન મળી ગઈ છે. એવામાં વોડાફોન દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા આ પગલું લીધું છે.