Vodafone-Idea 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફમાં વધારો કરવાનું એલાન કર્યું છે. તાજેતરમાં જ Reliance Jio એ IUC નો હવાલો આપતા નોન જિયો કોલિંગ માટે પૈસા લેવાનું શરૂ કર્યું છે. જો કે, Vodafone- Idea ની સ્થિતિ હાલ સારી નથી અને ક્વાર્ટરમાં કંપનીને મોટું નુકસાન થયું છે.
Vodafone-Idea ના ગ્રાહકો માટે માઠા સમાચાર
1 ડિસેમ્બરથી ટેરિફમાં કરશે વધારો
તાજેતરમાં જ JIO એ પોતાના પ્લાનમાં કર્યા છે ફેરફાર
ટેલીફોન કંપની Vodafone-Idea ને બીજા ક્વાટરમાં અત્યાર સુધીનું મોટું નુકસાન 50,921 કરોડનું નુકસાન થયું છે. એટલું નહીં એરટેલ પણ હાલ નુકસાનીનો સામનો કરી રહી છે. સરકાર તરફથી AGR એટલે કે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ વસૂલવામાં આવે છે અને તેના કારણે કંપનીના બોજામાં વધારો થઇ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર 2019 ના રોજ પોતાના ચૂકાદામાં ટેલિકોમ વિભાગને ટેલિકોમ કંપનીઓ પાસેથી એજીઆર તરીકે આશરે 94000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી છે. તેમ છતાં, જો તમે તેમાં વ્યાજ અને દંડ ઉમેરશો, તો તે રૂ. 1.3 લાખ કરોડ છે. ખરેખર સતત અહેવાલો આવી રહ્યા છે કે, વોડાફોન ભારતમાંથી પોતાનો બિઝનેસ સમેટી શકે છે પરંતુ હજી સુધી કંપનીએ આ અંગે કોઇપણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.
વોડાફોન-આઇડિયાએ આપ્યું નિવેદન
વોડાફોન આઈડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'વોડાફોન આઇડિયા 1 ડિસેમ્બરથી તેના ટેરિફમાં વધારો કરશે, જ્યારે ખાતરી કરે છે કે અમારા ગ્રાહકોને વર્લ્ડ ક્લાસ ડિજિટલ અનુભવ મળતો રહેશે'.
ક્યાં પ્લાનમાં કરશે ભાવ વધારો તે અંગે નથી કર્યો ખુલાસો
ભારતમાં Vodafone-Ideaની પાસે 300 મિલિયન મોબાઇલ કસ્ટમર્સ છે. કંપનીના પોતાના એક નિવેદનમાં ટેરિફમાં વધારો કરવા પાછળ ટેલિફોન સેક્ટર સ્ટ્રેસ બતાવવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં જે તણાવ છે તેનાથી તમામ સ્ટેક હોલ્ડર્સ સહમત છે. જો કે, કંપનીએ એવું સ્પષ્ટ જણાવ્યું નથી કે પ્લાનની કિંમતમાં કેટલો વધારો કરશે.