એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ એફયૂપી મિનિટ ચાર્જ પાછા ખેંચી લીધા છે એટલે કે હવે યુઝર્સને પહેલાંની જેમ જ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. નવા ટેરિફ રેટ્સ લાગુ થયા બાદ કોલિંગ પર ફેયર યુસેજ પોલીસી (એફયૂપી) મિનિટ નક્કી કરી દીધા હતા.
કરોડો ગ્રાહકોને મોટી રાહત
એફયૂપી મિનિટ ચાર્જ પાછા ખેંચી લીધા છે
પહેલાંની જેમ જ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે
યુઝર્સને આ સુવિધા અનલિમિટેડ પ્લાન્સ સાથે મળશે. વોડાફોન આઈડિયા અને એરટેલને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે પહેલાંની જેમ જે આગળ પણ ગ્રાહકોને ફ્રી અનલિમિડેટ કોલિંગની સુવિધા મળતી રહેશે. એટલે કે અન્ય કંપનીના નેટવર્ક પર કોલ કરવા માટે આ કંપનીઓના ગ્રાહકોએ કોઈ એક્સ્ટ્રા પૈસા ચૂકવવા નહીં પડે.
3 ડિસેમ્બર 2019થી નવા ટેરિફ પ્લાન લાગુ થયા બાદ એરટેલ અને વોડા-આઈડિયાએ તેના બધાં જ પ્લાનની સાથે એફયૂપી શરૂ કર્યું હતું. આ નિર્ણય પહેલાં કંપનીએ ફ્રી મિનિટ્સ નક્કી કરી દીધા હતા. એટલે કે 28 દિવસના પ્લાન પર યુઝર્સને 1000 ફ્રી મિનિટ્સ આપવામાં આવી રહી હતી, જ્યારે 84 દિવસના પ્લાન પર 3000 મિનિટ.
રિલાયન્સ જિયો કંપની પર છે દબાણ
જોકે, હવે સૌથી વધુ દબાણમાં રિલાયન્સ જિયો કંપની છે, કારણ કે કંપની ગ્રાહકો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટ આઈયૂસી ચાર્જ લઈ રહી છે. જેથી અન્ય કંપનીઓના નવા ટેરિફ લાગુ કર્યા છતાં કોલિંગ ફ્રી કરવા પર જિયો પર પણ ફ્રી કોલિંગની સુવિધા આપવાનું દબાણ વધશે.
ટેલિકોમ સેક્ટરમાં હાલ પ્રાઈસ વૉર ખતમ નથી થઈ
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોના નવા ટેરિફ રેટ્સ લાગુ કર્યા બાદ કેટલાક ટેરિફને 40 ટકા મોંઘા કરી દીધા છે અને કેટલાક 25 ટકા સસ્તા કરી દીધા છે. એરટેલ અને વોડાફોન આઈડિયાએ સલાહ આપી છે કે ટેલિકોમ સેક્ટરમાં હાલ પ્રાઈસ વૉર ખતમ નથી થઈ અને આગળ પણ તે જારી રહેશે.