આગામી વર્ષથી ફરી એકવાર ફોન પર વાત કરવા માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. વોડાફોન આઈડિયા અને એરટેલ પોતાના ટેરિફ પ્લાનની કિંમતમાં 15-20 ટકા સુધીનો વધારો કરવા જઈ રહ્યું છે. આ કંપનીઓને હાલ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. આ સાથે જ બંને કંપનીઓ રિલાયન્સ જિયોને ધ્યાનમાં રાખીને પોતાના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કરશે.
ટેલિકોમથી આવ્યા ખરાબ સમાચાર
આગામી વર્ષથી ફરી એકવાર ફોન પર વાત કરવા માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે
કંપનીઓ ટેરિફ પ્લાનમાં 25 ટકાનો વધારો ઇચ્છે છે
25 ટકા સુધીનો વધારો થઈ શકે છે
મળતી માહિતી મુજબ અત્યારે ટેલિકોમ કંપનીઓ રેગ્યૂલેટરની તરફથી ફ્લોર પ્રાઈસ ફિક્સ કરવાની રાહ જોઈ રહી છે. જોકે કંપનીઓ ટેરિફ પ્લાનમાં 25 ટકાનો વધારો ઇચ્છે છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો સંભવ નથી. વોડાફોન, એરટેલ અને જિયોએ ગયા વર્ષે ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો.
પહેલાં જ મળ્યા હતા સંકેત
વોડાફોન-આઇડિયાના એમડી રવિન્દર ટક્કરનુ કહેવુ છે કે ટેરિફના ભાવ હજુ વધશે. ટક્કરે વર્ષના બીજા ત્રિમાસિક પરિણામો બાદ ભાવ વધારવાના સંકેત આપી દીધા હતા. તેમણે કહ્યું હતુ કે, યોગ્ય સમયે ભાવ વધારવામાં આવશે. હાલ વોડાફોન પ્રતિ યુઝર 119 રૂપિયા, એરટેલ 162 રૂપિયા અને રિલાયન્સ જિયો 145 રૂપિયા ચાર્જ કરે છે.
વોડાફોનને ભાવ વધારવાની જરૂર છે
વોડાફોન માટે ટેરિફની કિંમતો વધારવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ટૂંક સમયમાં કંપનીએ એજીઆરનો હપ્તો ચૂકવવો પડશે. આ ઉપરાંત, વોડાફોન 4 જી નેટવર્કને મજબૂત બનાવવા માટે પણ રોકાણ કરવા માંગે છે અને આ માટે કંપનીને નાણાંની જરૂર પડશે. જોકે, વોડાફોનને એ ચિંતા છે કે જો તેની હરીફ કંપનીઓ ટેરિફ નહીં વધારે, તો તેના યુઝર્સ અન્ય કંપનીમાં શિફ્ટ થઈ શકે છે.