1 ડિસેમ્બરથી દેશભરમાં મોબાઇલ ચાર્જિસ વધશે. તેનું કારણ એ છે કે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ હાલ તુરત ટેલિકોમ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર ટેેરિફમાં વધારા સામે કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો છે.
વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ બાદ જિઓએ પણ ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર એરટેલનું રૂ.100નું રિચાર્જ રૂ135 સુધી મોંઘું થઇ જશે
ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં ૧૦થી ૧પ ટકા સુધીનો વધારો ચોક્કસપણે કરશે
મોબાઇલ ટેરિફ વધવાથી આર્થિક મંદીના દોરમાં લોકો પર વધુ એક બોજ પડશે. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલ ટેલિકોમ કંપનીઓના કરજનો બોજ હવે સીધો મોબાઇલ ફોનના ગ્રાહકો પર પડશે. મોબાઇલ ફોનના ગ્રાહકોએ 1 ડિસેમ્બરથી કોલ કરવાની સાથે સાથે ઇન્ટરનેેટનો ઉપયોગ કરવો મોંઘો પડશે. એટલે કે ટેરિફ પ્લાન પણ મોંઘા થઇ જશે. ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા ૧ ડિસેમ્બર ર૦૧૯થી ટેરિફ પ્લાનમાં વધારો કરવા જઇ રહી છે. એક અહેવાલ અનુસાર ટેલિકોમ કંપની મોબાઇલ ટેરિફમાં ૩પ ટકા જેટલો વધારો કરી શકે છે.
ટેરિફ પ્લાન પણ મોંઘા થઇ જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર એરટેલનું રૂ.100નું રિચાર્જ રૂ135 સુધી મોંઘું થઇ જશે. જોકે ટેલિકોમ સેકટર સાથે સંકળાયેલા સૂત્રોનું માનવું છે કે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં 10થી15 ટકા સુધીનો વધારો ચોક્કસપણે કરશે. વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ બાદ જિઓએ પણ ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે.