હેસટેગ સાથે ટ્વિટ કરતા ચરખો ફરશે તે પ્રકારની વ્યવસ્થા
#VocalForLocal ટ્વિટ થશે ત્યારે ફરશે ચરખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદના આંગણે છે ત્યારે તેમના દેશના ગૌરવમાં ઔર વધારો કર્યો છે અને ગાંધીજીની જેમ સ્વદેશીને વધુને વધુ લોકપ્રિય બનાવવા માટે તેમણે લોકલ ફોર વોકલ નામનું હેશટેગ ઈનોગ્રેટ કર્યુ છે કોઈપણ સોશિયલ મીડિયા પર જ્યારે ટ્વીટ કરશે અનો લોકલ ફોર વોકલ હેસ ટેગ વાપરશે તો ચરખો આપોઆપ ચાલવા લાગશે.
અમૃત મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં આજે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી. સાથે જ લોકલ ફોર વોકલ પર ભાર આપવા માટે નવું અભિયાન શરૂ કર્યું છે. જેમાં લોકો દેશમાં બનેલી ચીજવસ્તુ ખરીદીને લોકલ ફોર વોકલ સાથે ટ્વીટ કરશે ત્યારે ચરખો ફરવા લાગશે. આ કાર્યક્રમ થકી લોકોને લોકલ ફોર વોકલ તરફ વારવા માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી હતી.
#VocalForLocal ટ્વિટ થશે ત્યારે ચરખો ફરશે
આઝાદીના અમૃત મહોત્સવ લોકલ ફોર વોકલ ચરખાનું લોકાર્પણ કર્યુ છે. PM મોદીએ લોકલ ફોર વોકલ ચરખાનું લોકાર્પણ કર્યુ છે. જેમાં હેસટેગ સાથે ટ્વિટ કરતા ચરખો ફરે તે પ્રકારની વ્યવસ્થા છે. #VocalForLocal ટ્વિટ થશે ત્યારે ચરખો ફરશે. અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ચરખો મુકાશે. મગન નિવાસની બાજુમાં ચરખો રખાશે.