વડોદરા: આજે ગણેશ વિસર્જન છે ત્યારે વિસર્જન માટે વડોદરામાં ચાર કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. વડોદરામાં રૂ. એક કરોડ 74 લાખના ખર્ચે ચાર કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. નવલખી ગોરવા આજવા રોડ અને ડભોઈ રોડ ખાતે આ ચાર નવા કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.
ત્યારે આ તળાવોમાં અંદાજે 5 હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થશે. નાની પ્રતિમાઓનું શેરી અને સોસાયટીઓમાં ઘર આંગણે પણ વિસર્જન થશે.
#Vadodara ગણપતિ વિસર્જનને લઈને તંત્ર સજ્જ કુત્રિમ તળાવ ખાતે વિસર્જન કરાશે
વિસર્જિત માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ વિસર્જનના સ્થળ પર CCTV લગાવાયા
લાઈટના પોલ અને જનરેટરની વ્યવસ્થા#GaneshImmersionpic.twitter.com/3NGmz9wpou
તો વિસર્જનના પગલે સુરક્ષાના ભાગરૂપે અર્ધલશ્કરી અને પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 6 હજારથી પણ વધુ સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે તૈનાત કરાયા છે.
એટલું જ નહીં વિસર્જન પર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કેમેરાથી નજર રખાશે. વિસર્જન સ્થળે ફાયર બ્રિગેડની 24 ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વિસર્જનના સ્થળે 12 મેડીકલ ટીમ પણ હાજર રહેશે. સુરક્ષાના ભાગરૂપે આ તમામ તામજામ ગોઠવવામાં આવ્યો છે.