રશિયા અને યુક્રેન વચ્ચે છંછેડાયેલા જંગ હવે આક્રમક થઈ રહ્યું છે. રશિયાનો ઈરાદો ટૂંક સમયમાં કીવ પર કબ્જો કરવાનો છે અને તેને પોતાના પક્ષમાં લેવા માગે છે.
રશિયાએ યુક્રેનને વેરાન કરી નાખ્યું
જંગ જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર
પુતિન યુક્રેનને કરવા માગે છે વશમાં
રશિયા અને યુક્રેન વચ્ચે છંછેડાયેલા જંગ હવે આક્રમક થઈ રહ્યું છે. રશિયાનો ઈરાદો ટૂંક સમયમાં કીવ પર કબ્જો કરવાનો છે અને તેને પોતાના પક્ષમાં લેવા માગે છે. અત્યાર સુધીમાં બંને દેશો તરફથી કેટલાય લોકોના જીવ ગયા છે. આ તમામની વચ્ચે એક એવી જાણકારી સામે આવી છે, જે અત્યંત ચોંકાવનારી અને ડરામણી છે. હકીકતમાં બ્રિટિશ ગુપ્તચર વિભાગના પ્રમુખે જણાવ્યું છે કે, રશિયા રસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તે પોતાના 50,000 સૈનિકોની બલિ આપવા માટે પણ તૈયાર છે.
50,000 સૈનિકોની બલિ આપવા તૈયાર
ગુપ્તચર વિભાગના પ્રમુખે કહ્યું કે, રશિયા પોતાના 50,000 જવાનો મરવા માટે છોડી શકે છે કારણ કે, રાષ્ટ્રપકિ વ્લાદિમીર પુતિન કોઈ પણ ભોગે આ યુદ્ધને જીતવા માગે છે. સૂત્રોએ કહ્યું છે કે, પુતિને પોતાના સૈનિકોના મોતથી ચિંતિત નથી. કહેવાય છે કે, અત્યાર સુધી 3500 રશિયાઈ સૈનિકોના મોત થઈ ચુક્યા છે. માર્યા ગયેલા સૈનિકોમાં કટેલાય રશિયાના સૌથી વધારે અનુભવી ફોર્સ સ્પેટ્સનાઝ અને એરબોર્ન યુનિટમાંથી હતા. એવી શંકા છે કે, પુતિન સૈન્ય પ્રમુખોને વધારમાં વધારે ક્રૂર રણનીતિનો ઉપયોગ કરવાનો આદેશ આપી શકે છે. ત્યારે આવા સમયે ઈશારો રાસાયણિક હથિયારો તરફ થઈ રહ્યો છે .
યુદ્ધને આક્રમક થતાં રોકવું જોઈએ- હથિયાર નિષ્ણાંત
હથિયાર નિષ્ણાંત હામિશ ડી બ્રેટન ગોર્ડને કહ્યું કે, જો રશિયા યુદ્ધમાં ફસાઈ જાય છે, તો મને આંચકો નહીં લાગે. જો તે રાસાયણિક હથિયરોનો ઉપયોગ કરે છે, આપણે રશિયાને યુદ્ધને ઝડપી કરતા રોકવું જોઈએ. સાથે જ રશિયાને રસાયણિક હથિયારોનો ઉપયોગ કરતા પણ રોકવા જોઈએ. બ્રિટેનની ગુપ્તચર એજન્સી એમઆઈ6 જમીન થી ઓપરેશનને અંજામ આપી રહી છે, અને નાટોને પોતાનો રિપોર્ટ મોકલી રહી છે. આ વાતનો પણ ડર સતાવી રહ્યો છે કે, રશિયાઈ એજન્ટ્સ બ્રિટેનના ઠેકાણ પર હુમલો ન કરી દે.
સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું અત્યાર સુધીમાં કેટલા નિર્દોષ લોકોના મોત થયાં
અત્યાર સુધી રશિયા યુક્રેન જંગ વચ્ચે સૈંકડો લોકોના મોત થઈ ચુક્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પુષ્ટિ કરી છે કે, અત્યાર સુધી આ જંગમાં 240 સામાન્ય નાગરિકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી 64 લોકોના મોત ગુરૂવારે થયા છે. જ્યારે જંગની શરૂઆત થઈ હતી. જો કે, યુએને પણ કહ્યું છે કે, હતાહતની અસલી સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. કારણ કે, માર્યા ગયેલા લોકો પર કોઈ સત્તાવાર આંકડો પ્રકાશિત થયો નથી. સાથે હજારો લોકો વિજળી અને પાણીની સુવિધાથી વંચિત થઈ ગયા છે. ખાસ કરીને યુક્રેનમાં ઉત્તરી, પૂર્વી અને દક્ષિણી ભાગમાં માનવીય સંકટની સ્થિતી આવી પડી છે.