રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત હજું પણ નથી આવી રહ્યો. સવારથી યુક્રેનની રાજધાની કીવ ધડાકાઓના અવાજથી ધણધણી ઉઠી છે. ત્યારે રશિયાએ વધુ એક મહત્વના નિર્ણય લીધો છે.
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે આવ્યા મોટા સમાચાર
બ્રિટનથી આવતા વિમાનો પર લાદ્યો પ્રતિબંધ
ભારતીય દૂતાવાસે પણ જાહેર કરી એડવાઈઝરી
રશિયા અને યુક્રેનની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હવે આ વિવાદ યુદ્ધમાં બદલાઈ ગયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેની સાથે યુદ્ધનું એલાન કરી દીધુ છે અને જણાવ્યું છે કે રશિયા યુક્રેનમાં સૈન્ય અભિયાન ચાલવવા જઈ રહ્યું છે. રોયટર્સે યુક્રેનના હવાલે કહ્યું છે કે રશિયાની ફાયરિંગમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા હતા જ્યારે 9 ઘાયલ થયા હતા. જ્યાં જ રશિયાના હુમલાને લઈને NATO રશિયાના વિરૂદ્ધ આર્ટિકલ-4નો ઉપયોગ કરશે. ત્યારે રશિયાએ બ્રિટનથી આવતા વિમાન પર પ્રતિબંધ લાદ્યો છે.
Russia has banned British airlines from landing at its airports or crossing its airspace, its state civil aviation regulator said on Friday: Reuters #RussiaUkraineConflict
રશિયાએ બ્રિટન પર વળતો પ્રહાર કર્યો, બ્રિટિશ એરલાઈન્સને તેના એરપોર્ટ પર ઉતરવા અને તેની હવાઈ ક્ષેત્રમાં ઉડવા પર પ્રતિબંધ મૂક્યો. એરોફ્લોટ પર બ્રિટનના પ્રતિબંધના જવાબમાં, રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ રશિયન એરસ્પેસમાં યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સમાચાર એજન્સી રોઈટર્સે રશિયન રાજ્ય નાગરિક ઉડ્ડયન નિયમનકારને ટાંકીને જણાવ્યું હતું કે, રશિયાએ બ્રિટિશ એરલાયન્સને પોતાના હવાઈ મથક પર ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ભારતીય દૂતાવાસની સલાહ
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર રોમાનિયા અને હંગેરી મારફતે અહીંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહી છે. આ ઉપરાંત દેશની બહાર જતા નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે નાગરિકોને રસીકરણનું પ્રમાણપત્ર પોતાની સાથે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. પ્રવાસ માટે ઉપયોગમાં લેવાતા વાહનો પર ભારતીય ધ્વજનું સ્ટીકર લગાવવા પણ કહેવામાં આવ્યું છે.
રાજધાની કીવમાં ઘુસી રશિયન સેના
રશિયાની રાજધાની કીવમાં રશીયન સેના હવે ઘુસી ગઈ છે. આ દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દુશ્મનો કીવમાં ઘુસી ગયા છે. સાથેજ તેમણે કહ્યું કે દરેક નાગરીકો સાવધાન રહે અને કર્ફ્યુનું પાલન કરે. આપને જણાવી દઈએ કે કીવમાં સતત ધડાકાના અવાજો પણ આવી રહ્યા છે. જેથી ત્યાના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે.
યુક્રેન પર જે હુમલો થયો છે. તેમા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા રશીયાએ યુદ્ધપોતમાં હાજર યુક્રેનના 13 જવાનોને મારી નાખ્યા છે. રશિયાએ તેમને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું સાથેજ એવું પણ કહ્યું જો નહી કરો તો હુમલો કરીશું. આ સમયે યુક્રેની પોસ્ટ દ્વારા રશિયાના સૈનિકોને અપશબ્દો બોલવામાં આવ્યા જેથી સ્થળ પર હાજર દરેક જવાનોને રશિયાના સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દીધા
કીવમાં સવારથી 6 બ્લાસ્ટ
રશિયા સતત યુક્રેનના દક્ષિણ-પૂર્વી બોર્ડર પર મિસાઈલ છોડી છે. જેથી અહીયાના સૈનિકોને હવે ભારે નુકસાન થયું છે. સતત બીજા દિવસે પણ રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. જેથી હવે વિશ્વના દેશોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. આ સિવાય યુક્રેને એવો દાવો પણ કર્યો છે કે અત્યાર સુધીમાં કીવમાં સવારથી 6 બ્લાસ્ટ થયા છે. જેમા આ ધ઼ડાકા ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યા છે. સાથેજ રશિયાનું એક વિંમાન પણ પાડી દેવામાં આવ્યું છે.
137 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને પણ હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે આવા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીનું કહેવું છે કે તેમને આ લડાઈમાં એકવલા મુકી દેવામાં આવ્યા છે. તેમણે એવો દાવો પણ કર્યો કે રશિયાએ જે હુમલો કર્યો છે તેમા 137 લોકોના મોત થયા છે. સાથેજ 316 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ભારત સરકાર એલર્ટ
રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ થઈ છે. આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચેના વોર સંબંધિત ચર્ચા થઈ. આ બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રાત્રે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત અંગે PMOએ માહિતી આપી છે.