વિશાખાપટ્ટનમમાં જે ઝેરી ગૅસ લીક થયો છે તેની ગંભીર અસરો માણસો પર થતી જોવા મળે છે. આ સ્ટાઈરીન ગૅસ છે. તેનો ઉપયોગ પોલીમર, પ્લાસ્ટિક, રેક્ઝિન બનાવવામાં થાય છે. તેને પેટ્રોલિયમ રિફાઈનરીમાં બનાવવામાં આવે છે. આ ગૅસથી કેન્સર ફેલાવવાનો ખતરો રહે છે. ઓક્સીઝનની સાથે રિએક્શન કરીને સ્ટાઈરીન ડાયઓક્સાઈડ બને છે જે જીવલેણ હોય છે. સ્ટાઈરીનના ખતરાને જોઈને તેને હૈઝાર્ડસ એન્ડ ટોક્સીક કેમિકલની હરોળમાં રાખવામાં આવે છે.
વિશાખાપટ્નમ ગૅસ લીક કાંડ
સ્ટાઈરીન ગૅસથી કેન્સર ફેલાવવાનો ખતરો રહે છે
અસર જણાતા જ સૌ પહેલાં સેફ્ટી રૂપે કરી લો આ કામ
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ગુરુવારે વહેલી સવારે બનેલી ઘટનામાં સ્ટાઈરીન ગૅસ લીક થયો હતો. ગૅસનો ફેલાવો એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં થયો. ઝેરી ગેસથી હાલ સુધીમાં 11 લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
જાણો શું છે સ્ટાઈરીન ગૅસ
સ્ટાઈરીન ગૅસ જીવલેણ ગૅસ છે. તેનો ઉપયોગ પોલીમર, પ્લાસ્ટિક, રેક્ઝિન બનાવવામાં થાય છે. તેને પેટ્રોલિયમ રિફાઈનરીમાં બનાવવામાં આવે છે. આ ગૅસથી કેન્સર ફેલાવવાનો ખતરો રહે છે. ઓક્સીઝનની સાથે રિએક્શન કરીને સ્ટાઈરીન ડાયઓક્સાઈડ બને છે જે જીવલેણ હોય છે. સ્ટાઈરીનના ખતરાને જોઈને તેને હૈઝાર્ડસ એન્ડ ટોક્સીક કેમિકલની હરોળમાં રાખવામાં આવે છે.
સ્ટાઈરીન ગૅસની અસર
જ્યારે આ ગૅસ લોકોની વચ્ચે ફેલાય છે ત્યારે સૌથી પહેલાં આંખોમાંથી પાણી નીકળવા લાગે છે. ફેફસામાં ગૅસ જતાં નર્વસ સિસ્ટમ પર અસર પડે છે. તેના કારણે માથાનો દુઃખાવો, થાક, નબળાઈ, ડિપ્રેશન અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે. સાંભળવામાં તકલીફ પણ આવી શકે છે. શરીરમાં સ્ટાઈરીન ગૅસનું પ્રમાણ 800 પીપીએમથી વધારે થાય તો બીમાર માણસ કોમામાં પણ પહોંચી શકે છે.
લક્ષણો દેખાય તો શું કરવું.
જે સ્થાને ગૅસ ફેલાયો છે ત્યાંથી તરત જ દૂર જતાં રહેવું.
આંખોને પાણીથી સારી રીતે સાફ કરવી.
જે કપડાં પર ગૅસની અસર થઈ હોય તેને તરત જ ઉતારીને ફેંકી દેવા.
જે લોકો પ્રભાવિત છે તેમની પાસે ન રોકાઓ.
જે વ્યક્તિ અસરગ્રસ્ત છે તેને ચોખ્ખી હવા મળે તેવી જગ્યાએ લઈ જાવ.
ગંભીર લક્ષણો ન હોય તો પણ તેને સામાન્ય ન લો.
કોઈ પણ વ્યક્તિમાં અલગ લક્ષણ દેખાય કે તરત જ હોસ્પિટલ પહોંચી જાઓ.