ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતા વાળી એક પીઠે ગેસ લીક મામલેની તપાસ માટે પાંચ સભ્યની એક ગઠિત કરી અને એને 18 મે થી પહેલા રિપોર્ટ સોંપવા માટે કહ્યું.
ન્યાયમૂર્તિ આદેશ કુમાર ગોયલની અધ્યક્ષતા વાળી એક પીઠે ગેસ લીક મામલે તપાસ માટે પાંચ સભ્યની એક સમિતિ ગઠિત કરી અને એને 18 મે થી પહેલા રિપોર્ટ સોંપવા માટે કહ્યું. પીઠે કહ્યું, 'પ્રથમ સામે આવેલી જાણકારી અનુસાર આ ઘટનામાં લોકોના જીવ ગયા, જન સ્વાસ્થ્ય અને પર્યાવરણે નુકસાન થયું છે, અમે એલજી પૉલિમર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને વિશાખાપટ્ટનમના જિલ્લા અધિકારીને 50 કરોડ રૂપિયાની પ્રારંભિક રકમ જમા કરાવવાનો નિર્દેશ આપે છે. આ રકમ કંપનીના નાણાંકીય મૂલ્ય અને એનથી થયેલું નુકસાનની સીમાના સંબંધમાં નક્કી કરવામાં આવી રહી છે.
જણાવી દઇએ કે આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 1000 લોકો એનાથી પ્રભાવિત થયા છે. વિશાખાપટ્ટનમમાં 6 અને 7 મે ની રાતે થયેલી આ ઘટનામાં 11 લોકોના મોત થયા અને 100થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે.