આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ ગેસ ટ્રેજેડીમાં પીડિત લોકોને વળતરનું એલાન કર્યું છે. CM જગન મોહન રેડ્ડીએ કહ્યું કે આ બનાવમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા અને પીડિતને 10 લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા લોકોને એક લાખ રૂપિયાની મદદ કરાશે.
રાજ્ય સરકાર મૃત્યુ પામનારના પરિવારજનોને 1 કરોડ રૂપિયા અને પીડિતને 10 લાખ રૂપિયાનું વળતર આપશે
ગેસ લીકેજથી પ્રભાવિત 300 લોકોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે
મુખ્યમંત્રીએ આગળ જાણકારી આપતા કહ્યું કે આ મામલાની તપાસ 5 સભ્યોની કમિટી કરશે. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમમાં કિંગ જૉર્જ હોસ્પિટલની મુલાકાત લીધી. અહીં ગેસ લીકેજથી પ્રભાવિત થયેલા લોકો દાખલ કરાયા છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી.
આ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ ગેસ લીકની ઘટના વિશે પૂછપરછ કરી અને જિલ્લાના અધિકારીઓને લોકોનો જીવ બચાવવા અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સંભવ તમામ પગલા ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે.
જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે મુખ્યમંત્રી સ્થિતિની જીણવટ પુર્વક દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને તાત્કાલિક પગલા ઉઠાવવા અને તમામ મદદ ઉપલબ્ધ બનાવવા આદેશ આપ્યો છે.
મૃત્યુ પામનારની સંખ્યા 11 થઇ
વિશાખાપટ્ટનમના આર. આર. વેન્કટપુરમ ગામમાં એલ.જી. પૉલિમર કંપનીમાં રાસાયણિક ગેસ લીકેજને કારણે 11 લોકોના મોત થઇ ગયા છે. આ વિશેની જાણકારી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને આપી છે. જ્યારે વધુ 300 લોકોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
આંધ્રપ્રદેશના CM એ કરી વડાપ્રધાન સાથે વાતચીત
આટલુ જ નહીં પીએમઓ તરફથી બતાવામાં આવ્યું છે કે વિશાખાપટ્ટનમની સ્થિતિ વિશે પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ. જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી છે. તેઓએ સંભવ તમામ મદદ અને સહાયતા કરવા આશ્વાસન આપ્યું છે.
વિશાખાપટ્ટનમ ગેસ ટ્રેજેડી પર PM મોદીની અધિકારીઓ સાથે બેઠક
ગેસ લીકેજ બાદ પીએમ મોદીએ NDMA અને MHAના અધિકારીઓની સાથે સવારે 11 વાગ્યે બેઠક કરી, જે પૂર્ણ થઇ ચૂકી છે. બેઠકમાં પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરી. પીએમ મોદીની સાથે થયેલી બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
બેઠક પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે તેઓએ NDMA અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ બનાવ પર વાતચીત કરી છે. તેના પર નજર રાખવામાં આવી રહી છે. હું વિશાખાપટ્ટનમમાં તમામના સુરક્ષા અને કલ્યાણની પ્રાર્થના કરું છું.