પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં નરેન્દ્ર મોદીનો રોલ પ્લે કરનારો વિવેક ઓબરોય હવે ઇન્ડિયન એરફોર્સને લઇને એક ફિલ્મ બનાવવાનો છે જેનું નામ બાલાકોટ રાખવામાં આવ્યુ છે.
3 ભાષામાં બનનારી આ ફિલ્મમાં વિંગ કમાન્ડર અભિનંદન પર વધારે ફોકસ કરવામાં આવશે. જોકે આ જાહેરાત પછી વિવેક ઓબરોય સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે.
Vivek Oberoi needs to calm down and should calmly sign Akshay Kumar for this project so that both can win national award for best producer and best actor instead of destroying whole balakot story.
I request vivek oberoi to not destroy the the story.... Like Narendra Modi film...seriousness which uri film has.@vivekoberoi
— 🇮🇳 Vìkràñt विक्रांतவிக்ராந்த்🇮🇳 (@pakkabhakt321) August 23, 2019
એક યૂઝર્સે એવુ લખ્યુ કે, ''વિવેક ઓબરોયે શાંત રહેવુ જોઇએ અને ચૂપચાપ પોતાની ફિલ્મમાં અક્ષય કુમારને સાઇન કરી લેવો જોઇએ, જેથી બેસ્ટ પ્રોડ્યુસર માટે નેશનલ એવોર્ડ અને અક્ષયને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળી જાય છે.'' તો બીજા એક યૂઝરે લખ્યુ કે, ''આશા રાખું છું કે, વિવેદ મોદી બાયોપિકની જેમ આ ફિલ્મની સ્ટોરી પણ ખરાબ ના કરી લે.''
Vivek Oberoi is trying to become Akshay Kumar but he is not finding any success because Akshay Kumar apne secrets zor zor se bolke sabko nahi batata.
તો બીજા યૂઝરે ટ્વિટર પર એક્ટરની મજાક ઉડાવતા કહ્યુ કે, ''વિવેક ઓબરોય અક્ષય કુમાર બનવાનો પ્રયત્ન ના કરે કેમકે તેણે સફળતા નહી મળે. આ પાછળનું કારણ એવુ છે કે, અક્ષય પોતાના સિક્રેટ્સ મોટે મોટેથી બધાને નથી કહેતો.''
I request vivek oberoi to not destroy the the story.... Like Narendra Modi film...seriousness which uri film has.@vivekoberoi
— 🇮🇳 Vìkràñt विक्रांतவிக்ராந்த்🇮🇳 (@pakkabhakt321) August 23, 2019
વિવેકની આ ફિલ્મનું નામ ‘બાલાકોઃ ધ ટ્રૂ સ્ટોરી’ હશે, તેનું શૂટિંગ જમ્મુ, કાશ્મીર, દિલ્હી અને આગરામાં થશે. ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને હિંદી ઉપરાંત તમિલ અને તેલૂગુ ભાષામાં પણ બનાવવામાં આવશે.
26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં એર સ્ટ્રાઈક થઈ હતી:
આ ફિલ્મ બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈક પર આધારિત છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં પુલાવામામાં CRPFના જવાનો પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ ભારતીય વાયુસેનાના મિરાજ-2000એ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશના આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી.