ધ કશ્મીર ફાઈલ્સનાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કશ્મીરમાં મારેલા લોકોની સંખ્યા પર સવાલ કરનારને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે.
મરેલા લોકોની સંખ્યા પર સવાલ કરનાર માટે વિવેક અગ્નિહોત્રીનો જવાબ
રમેશ નામના વ્યક્તિની જીભ કાપવામાં આવી હતી
ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોનાં દિલ
મરેલા લોકોની સંખ્યા પર સવાલ કરનાર માટે વિવેક અગ્નિહોત્રીનો જવાબ
વિવેક અગ્નિહોત્રીની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' ઘણા દિવસોથી ચર્ચામાં છે. દેશમાં આ ફિલ્મનાં રિલીઝ થયા બાદ બબાલ મચી ગઈ છે. જેથી સ્પષ્ટ પ્રકારે સાબિત થાય ચ એકે લોકોમાં આ મુદ્દાને લઈને જે અવેરનેસ ન હતી, તેના પર આજે વાત થઇ રહી છે. ઘણા લોકોએ આ ફિલ્મ પર અલગ અલગ પ્રકારના સવાલો છે, જનો જવાબ ફિલ્મનાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના જ અંદાજમાં આપ્યો છે. હાલમાં જ એક વધારે તસવીર તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં એક બ્લેક એંડ વ્હાઈટ માણસનો ફોટો જોવા મળે છે, જે એક ન્યૂઝપેપર કટિંગ જોવા મળે છે કેમકે તેમાં નીચે એક વ્યક્તિ વિષે સ્પષ્ટપણે કંઈક લખ્યું છે. આ વ્યક્તિની જીભ કપાઈ લેવામાં આવી હતી, જે વિષે વિવેક અગ્નિહોત્રીએ તસવીર શેર કરતા જાણકારી આપી છે.
Whenever any Genocide Denier tries to divert by arguing on numbers of dead people, show him this report from 1989 and ask “how many numbers would you give Ramesh Kumar?”
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 23, 2022
રમેશ નામના વ્યક્તિની જીભ કાપવામાં આવી હતી
આ તસવીર છે રમેશ કુમાર નામના એક એવા વ્યક્તિની જેની જીભ એટલા માટે કાપવામાં આવી હતી, કેમકે તેણે 'ભારત માતા કી જય' કહ્યું હતું. ઇસ્લામિક ફંડામેન્ટલ્સે તેમની જીભ જ કાપી નાંખી જ્યાર બાદ તેઓ કંઈપણ બોલવાની સ્થિતિ માં ન રહ્યા. વિવેક અગ્નિહોત્રીએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે જ્યારે કોઈ નરસંહારમાં મારેલા લોકોની સંખ્યા પર દલીલ કરે છે, તો તેને 1989નો આ રિપોર્ટ બતાવો અને પૂછો કે તમે રમેશ કુમારને કેટલા નંબર આપશો?
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.
ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.