ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે જ્યારે હું આ ફિલ્મ બનાવી રહ્યો હતો તો લોકોએ કહ્યું કે પાગલ થઈ ગયો છે? મરીશ.
વાયરલ થઈ રહ્યો વિવેક અગ્નીહોત્રીનો વીડિયો
કાશ્મીર વિશે કરી રહ્યા છે વાત
કોઈ હેરના કરવાથી નથી બનતું આતંકી
'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ભારતમાં જ નહીં દુનિયામાં પણ ચર્ચા છે. ફિલ્મને જોઈને કદાચ જ કોઈ એવું વ્યક્તિ હશે જેની આંખમાં આંસુ નહીં આવ્યા હોય. ફિલ્મ કાશ્મીર પંડિતોના દુઃખને દર્શાવી રહી છે. ફિલ્મને બનાવવા માટે વિવેક અગ્નિહોત્રીએ ખૂબ રિસર્ચ કર્યું અને ખૂબ જ સ્યોરીટી સાથે તે કહે છે કે કાશ્મીર વિશે તેમના કરતા વધારે કદાચ જ કોઈ જાણતું હતું.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 2, 2022
વિવેક અગ્નિહોત્રીનો વીડિયો વાયરલ
ફિલ્મને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. ઓછા બજેટ વાળી આ ફિલ્મ કમાણીના મામલામાં રેકોર્ડ બનાવી ચુકી છે. આ વચ્ચે ફિલ્મ નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાશ્મીરમાં ઉભા થયેલા આતંકવાદના મુદ્દા પર વાત કરી રહ્યા છે.
નવા ભારતનું નિર્માણ આપણા હાથમાં
વીડિયોમાં તેમણે કહ્યું, "કાશ્મીરમાં હું જ્યારે ફિલ્મ બનાવી રહ્યો હતો તો લોકોએ કહ્યું કે પાગલ થઈ ગયો છે કે શું....મરીશ! મને તો સ્વીકાર હતું. મરવું સ્વીકાર હતું. ભારતની જે સમસ્યાઓ છે જે પાછલાં 50 વર્ષથી ચાલી રહી છે. એ એટલા માટે કારણ કે લોકો તેના પર વાત કરવાથી ડરે છે. આપણે મોટાભાગે ડાકૂઓને, નક્સલ લોકોને, સ્મગલર્સને, આતંકીઓને ગ્લોરિફાઈ કર્યું, જે ખૂબ ખરાબ છે. આતંકવાદી કોઈ પણ હેરાન કરવાના કારણે નથી બનતું. યસીન મલિકને કોઈએ હેરાન ન હતો કર્યો. હફીસ સઈદ. બુરહાન બાની, અફઝલ ગુરૂને કોઈએ હેરાન ન હતા કર્યા અને મારાથી વધારે કાશ્મીર પર કોઈની પાસે રિસર્ચ નથી. આ જુઠ જેના પર 32 વર્ષ સુધી ધંધો કરવામાં આવ્યો. આજે હું તેને એક્સપોઝ કરવાની હિમ્મત કરૂ છું. એક નવા ભારતનુ નિર્માણ કરો આ ભવિષ્ય તમારા હાથમાં છે."