સુપ્રીમ કોર્ટે 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની લક્ષિત હત્યાઓની એસઆઈટી તપાસની માંગ કરતી અરજીને શુક્રવારે ફગાવી દીધી છે. આ નિર્ણય પર હવે વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી
કાશ્મીરી પંડિતોની હત્યાની તપાસની અરજી SC એ ફગાવી
કોર્ટના આ નિર્ણય પર વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી
કાશ્મીરના હિન્દુ લઘુમતી માટે કોઈ #RightToJustice નથી
જ્યારે વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' થિયેટરમાં રિલીઝ થઇ ત્યારે કોઇએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મ દ્વારા વિવેક કાશ્મીરી પંડિતોના 32 વર્ષ જૂના દર્દને મોટા પડદા પર લાવી શકશે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની હિજરતની ભયાનક વાસ્તવિકતા બતાવવામાં આવી હતી. જો કે 'કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થતાં જ લોકોમાં ચર્ચા થવા લાગી કે કાશ્મીરીઓ માટે કોણ દોષી છે? સુપ્રીમ કોર્ટે 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની લક્ષિત હત્યાઓની એસઆઈટી તપાસની માંગ કરતી અરજીને શુક્રવારે ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય પર હવે વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી છે.
વિવેક અગ્નિહોત્રીએ નિર્ણય પર દુખ વ્યક્ત કર્યું
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તરત જ વિવેક અગ્નિહોત્રીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે સુનાવણીની માંગ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ફરી એકવાર ન્યાયપાલિકાએ કાશ્મીરમાં હિન્દુ નરસંહારના પીડિતોને નિરાશ કર્યા છે. ફરી એકવાર. કાશ્મીરના હિન્દુ લઘુમતી માટે કોઈ #RightToJustice નથી. '
Once again the judiciary has let down the victims of Hindu Genocide in Kashmir. ONCE AGAIN.
No #RightToJustice for the Hindu minority of Kashmir. https://t.co/XathOuyvWx
ન્યાયતંત્રનો એસીડ ટેસ્ટ
સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે આજનો દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. વિવેકે પોતાના ટ્વીટમાં એક મીડિયા હાઉસની એક પોસ્ટ શેર કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટના ફોટોની બાજુમાં કાશ્મીરનો નકશો છે અને આ નકશામાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' લખેલું છે. આ સાથે તેમણે લખ્યું, 'આજે ન્યાયતંત્રનો એસિડ ટેસ્ટ છે. '
NGO દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી
એનજીઓ વી ધ સિટિઝન દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં 1990થી 2003 ની વચ્ચે કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો અને શીખોની હત્યા અને અત્યાચારોની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં તાજેતરના મહિનાઓમાં કાશ્મીર ખીણમાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોની હત્યાની તપાસની પણ માંગ કરવામાં આવી છે.