'The Kashmir Files' ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વાયરલ પત્ર શેર કર્યો.
'કાફિરોને પત્ર' નામનો એક પત્ર વાયરલ
વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર કર્યો શેર
પત્રમાં કાશ્મીરી પંડિતોને અપાઇ ધમકી!
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'The Kashmir Files' એ એક વાર ફરી કાશ્મીરી પંડિતોના હિજરતનો મુદ્દો ઉઠાવ્યો છે. એક તરફ જ્યાં આ ફિલ્મ જોતી વખતે લોકો કાશ્મીરી પંડિતો સાથે થઈ રહેલા અન્યાય પર અવાજ ઉઠાવી રહ્યાં છે. તો બીજી બાજુ વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પત્ર શેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે, 'કાં તો કાશ્મીરી પંડિતોએ ઘાટી છોડવી પડશે અથવા તો તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે.'
વિવેક અગ્નિહોત્રી દ્વારા શેર કરવામાં આવેલા આ પત્રમાં કાશ્મીરી પંડિતો અને તેમની મદદ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જેઓ તેમના હુકમનો અનાદર કરશે તેમને મારી નાખવામાં આવશે અને તેઓને નર્કમાં મોકલવામાં આવશે. આ પત્રમાં મોદી અને શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, મોદી કે શાહ કોઈ બચાવી નહીં શકે.'
Latest DEATH THREAT letter to all non Muslims who don’t follow ALLAH.
Is this TRUTH or PROPAGANDA? क़ौमी नफ़रत का सत्य या झूठी कहानी?
Dear Comrades, now who is provoking them? Should we tell this TRUTH or cover it up like Kashmir Genocide of Hindus? pic.twitter.com/drNpTgPwiN
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 13, 2022
કોણ આપી રહ્યું છે આ ધમકી?
વાસ્તવમાં, આતંકવાદી સંગઠન લશ્કર-એ ઈસ્લામે 'કાફિરોને પત્ર' નામનો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં કોઈ તારીખનો ઉલ્લેખ નથી. આ પત્રને વિવેક અગ્નિહોત્રીએ પોતાના સોશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે આ પત્ર શેર કર્યા બાદ એક વાર ફરી હોબાળો શરૂ થયો છે.
કશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ્સની ઘટનાઓ
13 એપ્રિલ 2022 ના રોજ, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામ વિસ્તારમાં સતીશ સિંહ નામના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કુલગામ જિલ્લાના કેટલાંક ભાગોમાં રાજપૂત પરિવાર રહે છે. સતીશ પણ રાજપૂત પરિવારનો છે. આ પહેલાં 21 માર્ચ, 2022 ના રોજ આતંકીઓએ પુલવામા જિલ્લાના ગંગુ ગામમાં એક બિન-સ્થાનિક મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મજૂરનું નામ બિસુજીત કુમાર છે અને તે બિહારનો રહેવાસી છે.
5 ઓક્ટોબર 2021 ના રોજ એક અગ્રણી કાશ્મીરી પંડિતની પણ હત્યા કરી દેવાઇ
3 એપ્રિલ 2022ના રોજ, આતંકવાદીઓએ પુલવામાના નૌપોરા લિટર વિસ્તારમાં બે મજૂરો પર ગોળીબાર કર્યો હતો તેઓ પઠાણકોટ પંજાબના રહેવાસી સુરેન્દ્ર સિંહ અને ધીરજ દત્ત ટ્રક ડ્રાઈવર છે. બંને મજૂરોને ગોળી વાગી છે. 4 એપ્રિલ 2022 ના રોજ, આતંકવાદીઓએ પુલવામાના જ લાજુરામાં પટલેશ્વર કુમાર અને જાકો ચૌધરી પર ગોળીબાર કર્યો હતો. બંને બિહારના રહેવાસી છે. 5 ઓક્ટોબર 2021 ના રોજ, એક અગ્રણી કાશ્મીરી પંડિત અને શ્રીનગરની સૌથી પ્રખ્યાત ફાર્મસીના માલિક માખન લાલ બિંદરૂને તેઓની જ દુકાન પર આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. એ સિવાય હાલના દિવસોમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ્સની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.