વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં 90ના દશકમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની ઘટના દર્શાવી છે.
વિવેક અગ્નિહોત્રીએ કરી વધુ બે ફિલ્મો બનાવવાની જાહેરાત
બન્ને ફિલ્મો ભારતની સત્ય ઘટનાઓ પર હશે આધારીત
કાશ્મિર ફાઈલ્સની સફળતા બાદ લીધો નિર્ણય
ગયા મહિને 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને બોક્સ ઓફિસ પર ભારે સફળતા મળી. આ સફળતા બાદ હવે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની ટીમે બે નવી ફિલ્મોની જાહેરાત કરી છે. આ જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલના જન્મદિવસના ખાસ અવસર પર કરવામાં આવી હતી.
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અભિષેક અગ્રવાલને જન્મદિવસની શુભકામનાઓ આપતા બે ફિલ્મોની જાહેરાત કરી. જોકે ફિલ્મના ટાઈટલ અથવા તેના સાથે જોડાયેલી ઘણી અન્ય જાણકારી હાલ શેર કરવામાં આવી નથી. પરંતુ એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે ફિલ્મ આવનાર સમયમાં દર્શકોની સામે રજૂ કરવામાં આવશે તે ભારતની જ બે સત્ય ઘટનાઓ પર આધારિત હશે.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 11, 2022
સત્ય ઘટનાઓ પર હશે ફિલ્મ
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક મોશન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કો વિવેક અગ્રિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડકશન હાઉસ અને અભિષેક અગ્રવાલના પ્રોડક્શન હાઉસે આગામી બે ફિલ્મો માટે હાથ મિલાવ્યો છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બન્ને પ્રોડક્શન હાઉસ હવે ભારતની બે એવી સત્ય ઘટનાઓને મોટા પડદા પર દર્શાવશે જે ખૂબ જ ભયાનક છે.
વિવેક અગ્નિહોત્રીએ આ વીડિયો શેર કરતા પોતાના ટ્વીટમાં લખ્યું- ટાઈગર પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલને જન્મ દિનસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ અવસર પર અભિષેક અગ્રવાલે કહ્યું ઓટ્સ અને આઈ એમ બુદ્ધા ફાઉન્ડેશનની વચ્ચે એક નવા સહયોગની જાહેરાત કરતા મને ખૂબ ખુશી થઈ રહી છે. તમારા માટે પ્રેમ, હંમેશા.
તમને જણાવી દઈએ કે 11 માર્ચે 'ધ કાશ્મીર ફાઈલ્સ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યુ હતું. વિવેક અગ્નિહોત્રી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસના બેનરમાં થઈ હતી.