બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વિવાહ પંચમી પર આ રીતે કરાવજો રામ અને સીતાના વિવાહ, દિવ્ય મંત્રોના જાપ અપાવશે આર્થિક લાભ

ધર્મ / વિવાહ પંચમી પર આ રીતે કરાવજો રામ અને સીતાના વિવાહ, દિવ્ય મંત્રોના જાપ અપાવશે આર્થિક લાભ

Last Updated: 09:53 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી રામને ચેતના અને માતા સીતાને પ્રાકૃતિક શક્તિનું પ્રતિક છે, અને ચેતના અને પ્રકૃતિના મિલનના દિવસને શ્રી રામ વિવાહ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શ્રીરામ અને સીતાના લગ્ન થયા હતા ત્યારે ચાલો જાણીએ આ દિવસનું વિશેષ મહત્ત્વ.

ભગવાન રામે માર્ગશીર્ષ શુક્લ પંચમીના રોજ દેવી સીતા સાથે લગ્ન કર્યા હતા. તેથી આ તિથિને શ્રી રામ વિવાહ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમીનો તહેવાર 6 ડિસેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવશે. ત્યારે જો આ રીતે તમે કરાવશો રામ અને સીતાના વિવાહ તો તમને પણ થશે લાભ.

વિવાહ પંચમી પર કરો પાઠ

જો કોઈને લગનાં અવરોધ આવી રહ્યો હોય તો આ દિવસે રામ અને સીતાના વિવાહ કરાવવાથી ઈચ્છિત લગ્નનું વરદાન મળે છે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો અંત આવે છે. ભગવાન રામ અને માતા સીતાની આરાધના કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. આ દિવસે બાલકાંડના પાઠમાં ભગવાન રામ અને સીતાજીના લગ્નની કથાનું ખાસ વાંચન કરવું જોઈએ. સંપૂર્ણ રામચરિત-માનસનો પાઠ કરવાથી પણ પારિવારિક જીવન સુખી બને છે.

રામ-સીતાના લગ્ન કેવી કરાવવા?

વિવાહ પંચમીના દિવસે રામ-સીતાના લગ્ન કરાવવા માટે તેમના ફોટો કે મૂર્તિની સ્થાપના કરો. ભગવાન રામને પીળા વસ્ત્રો અને માતા સીતાને લાલ વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ તેમની સામે બાલકાંડના લગ્ન પ્રસંગનો પાઠ કરો અને 108 વાર "ऊं जानकीवल्लभाय नमः" મંત્રનો જાપ કરો. પછી તેમની આરતી કરો. ત્યારબાદ તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો.

વિવાહ પંચમીનો અન્ય ઉપાય

નવ પરણિત યુગલને તમારા ઘરે આમંત્રણ આપો અને તેમની આગતા-સ્વાગતા કરો, તેમને ભોજન કરાવો અને તેમને તમારી ક્ષમતા મુજબ ભેટ આપીને બંને પાસેથી આશીર્વાદ લો. ઘરના મંદિરમાં રામ દરબારનો ફોટો રાખવાથી પરિવારમાં એકતા રહે પારિવારિક જીવન સુખમય બની રહે છે.

વધુ વાંચો: શનિ, રાહુ, કેતુ અને ગુરૂ બદલશે પોતાની ચાલ, અને આ જાતકોના શરૂ થશે અચ્છે દિન

વિવાહ પંચમી પર વિશેષ મંત્રનો જાપ

વિવાહ પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરો. તુલસી અથવા ચંદનની માળાથી મંત્રોનો જાપ કરો. સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરો. અને નીચે આપેલ કોઈ પણ એક દોહાનો જાપ કરો.

प्रमुदित मुनिन्ह भावँरीं फेरीं। नेगसहित सब रीति निवेरीं॥ राम सीय सिर सेंदुर देहीं। सोभा कहि न जाति बिधि केहीं॥

पानिग्रहन जब कीन्ह महेसा। हियँ हरषे तब सकल सुरेसा॥ बेदमन्त्र मुनिबर उच्चरहीं। जय जय जय संकर सुर करहीं॥

सुनु सिय सत्य असीस हमारी। पूजिहि मन कामना तुम्हारी॥ नारद बचन सदा सुचि साचा। सो बरु मिलिहि जाहिं मनु राचा॥

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Vivah Utsav Ram-Sita Marriage Vivah Panchami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ