જો તમે પણ સવારે ઉઠ્યા પછી થાક અનુભવો છો, તો તમે આ 5 ખોરાકની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો.
સવારે ઉઠ્યા બાદ લાગે છે થાક?
આ 5 ખોરાક લેવાથી થશે ફાયદો
શરીરમાં આ વસ્તુની હોઈ શકે છે ઉણપ
જો તમે રાત્રે નવ કલાકની ઊંઘ લીધા પછી પણ થાક અનુભવો છો તો ચોક્કસ તમારા શરીરમાં vitamin b12નો અભાવ છે. ઘણા લોકો આ વિશે ફરિયાદ કરે છે પરંતુ તેઓ નથી જાણતા કે તેની પાછળ વિટામિન B12 લેવલની કમી છે.
વિટામિન B12ની ઉણપને કારણે તમારું શરીર યોગ્ય રીતે કામ કરતું નથી અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જો તમે પણ સવારે ઉઠ્યા પછી થાક અનુભવો છો, તો તમે આ 5 ફૂડ્સની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો. આવો જાણીએ આ કયા ફૂડ્સ છે.
દહીં
દહીં વિટામિન B12નો સારો સ્ત્રોત છે કારણ કે તે અન્ય ઘટકોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે દહીંનું સેવન વિટામિન B12ના સ્તરને સુધારવામાં અને તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.
સેલ્મન
ઓમેગા-3 ફેટી એસિડ્સ અને પ્રોટીનનો કુદરતી ભંડાર હોવાની સાથે સાથે સૅલ્મોન વિટામિન B12નો સારો સ્ત્રોત પણ છે. સૅલ્મોન તમારા હૃદય, હાડકાં, મગજ અને ઈમ્યૂનિટીને સુધારવામાં મદદ કરે છે.
ઈંડા
ઇંડાને સૌથી હેલ્ધી ખોરાક માનવામાં આવે છે કારણ કે તે માત્ર પ્રોટીન અને એમિનો એસિડથી સમૃદ્ધ નથી પરંતુ તે વિટામિન B12નો શ્રેષ્ઠ સ્ત્રોત પણ છે. ઈંડાનો પીળો ભાગ વિટામિન B12 ના સ્તરને વધારવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો છો કે તમારું વિટામીન B12 લેવલ સારું રહે તો આખું ઈંડું ખાઓ.
ફોર્ટિફાઈડ ફૂડ્સ
જો તમે શાકાહારી છો અને કુદરતી રીતે વિટામિન B12 નું સ્તર વધારવા માંગો છો તો તમે ટોફુ, અનાજ, દૂધ અને યીસ્ટ જેવા ફોર્ટિફાઇડ જેવા ખોરાક ખાઈ શકો છો. આ બધા વિટામિન B12 ના સારા સ્ત્રોત છે. જે તમારા શરીરમાં વિટામિન બી12ના લેવલને વધારે છે. સાથે જ શરીરમાં તેની ઉણપને દૂર કરે છે.
લીન મીટ
મોટાભાગના નોનવેજ ફૂડ જેવા કે ઈંડા, ચિકન વિટામિન બી12થી સમૃદ્ધ હોય છે. એક સંશોધન અનુસાર જો તમે લીન મીન ખાઓ છો જેવું કે ક્લામ, ટર્કી, ચિકન જેવા માસ. તો આ બધા કુદરતી રીતે વિટામિન B12 નું સ્તર સુધારવામાં મદદ કરે છે.